________________ પર હું આત્મા છું “વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન” 'વૈરાગ્યની સફળતા માટે સર્વ પ્રથમ રાગ ભાવના ક્ષેત્રને સીમિત કરવું પડશે. ત્યારે જ આતમજ્ઞાન જાગશે. તે પહેલાં નહીં. જે વ્યક્તિ એમ વિચારે છે કે આ ધર્મ માર્ગે આવતાં મને આત્મજ્ઞાન થાય, હું મારા આત્માને જાણું, ઓળખું, તે આ જીજ્ઞાસાને પૂર્ણ કરવા માટે પહેલાં જડ પદાર્થ પ્રત્યે ઉદાસીનતા અંતરમાં કેળવવી પડશે. એ ઉદાસીનતા જડનાં આકર્ષણને તેડી નાખશે. અને વૃત્તિને આત્મા તરફ વાળશે. આત્મા તરફ જાગૃત થયેલો વિવેક આતમજ્ઞાનને લઈને જ જંપશે. તે એ આતમજ્ઞાન પ્રાપ્તિને પુરુષાર્થ શું છે તે અવસરે કહેવાશે.