Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 389
________________ 320 હું આત્મા છું અભિલાષાની આગ માનવના પટ જેવી છે. પેટમાં ગમે તેટલું અન્ન પધરાવે, તે તૃપ્ત થતું જ નથી. બે-ચાર કલાકમાં ખાલી થતું પેટ ફરી માગે જ છે. કેઈ એ ઉપાય નથી કે એક વાર પેટ ભરી લીધું કે ફરી એ કદી માગે નહીં. અરે ! જરા વિચારે તે ખરા ! આજ સુધીમાં કેટલું ખાધું ? છે ગણતરી ? આપણે કરીએ જરા ગણતરી! માને કે તમે રેજની ચાર રોટલી ખાવ છે. તે એક મહિને 120 થઈ એક વર્ષની 1440 અને તમારી જેટલી ઉમર થઈ તેની સાથે ગુણાકાર કરીને જુઓ ! પચાસ વર્ષ તમને થયાં તે 72,000 રોટલી, સાંઈઠ થયાં તે 86,400 અને સીત્તોર થયાં તે 1,00,800 આ પેટમાં કેટલું નાખ્યું અને એ સિવાયના બીજા પદાર્થો કેટલા ? ગંજના ગંજ ખડક્યા, છતાં તૃપ્ત ન થયું પેટ ! એટલું જ નહીં આ જીવનમાં પાંચ ઈદ્રિયથી ભગવાય એટલાં વિષયે ભેગવી લીધા. છતાં હજુ જાણે કાંઈ નથી ભગવ્યું તેમ કરી ને કેરા. તૃપ્તિને ઓડકાર આવતું નથી. આ છે અનંત અભિલાષાઓની જાળ. જ્યાં સુધી આવી અભિલાષાઓ પડી છે ત્યાં સુધી આત્માર્થ ઉગતે જ નથી. મતાર્થતા દૂર જતી નથી માટે જ શ્રીમદ્જીએ કહ્યું તારી ઈચ્છા અને અભિલાષાઓના ભાવને અંતરમાંથી ઉખેડીને ફેંકી દે, તો જ તારા ભાવને વેગ; જે અવળી દિશામાં વહી રહયો છે તે સવળી દિશામાં વહેવા માંડશે, તે જ સંવેગ જાગશે. ભગવૃત્તિ પર કાબૂ આવે તે જ ઈચ્છાઓ મરે, અન્યથા નહીં. પણ અજ્ઞાનમાં રાચતો જીવ ભેગેને છેડત ન હોય છતાં થોડી ભક્તિ કે જપ કરતાં શીખી જાય કે પિતાની જાતને આત્માથી કહેવડાવવા માંડે. - આજે જે જાતને વાયરે વાવે છે, એ વાયરામાં આત્માથી કહેવાતે માનવ પણ જે તણાત હોય તે તેને આત્માથીં માને શી રીતે ? જેમ કે આજે શ્રીમંત કુટુંબેની વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. એક જણ જેટલે ધનને દેખાડો કરી શકે, બીજાને એનાથી વધુ કરવો હેય. સાંભળ્યું છે કે શ્રીમંત કુટુંબની બહેને લગ્નમાં 10-15 હજાર રૂપિયાની સાડીઓ પહેરતી હોય અને એક લગ્નમાં આવી મોંઘી

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424