Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 395
________________ ૩ર૬ હું આત્મા છું જગ્યાએ એક કલાક બેસીને મહેનત કરવી પડતી નથી. પણ એક નહીં, અનેક સામાયિક કર્યા પછી પણ સમતા જાગતી નથી. તપ-ત્યાગ કર્યા પછી પણ જિતેન્દ્રિયતા આવતી નથી. સ્વાધ્યાય-ભકિત કરી લીધા પછી પણ વીતરાગતાનો અંશ પ્રગટતો નથી. સ્વાભાવિક ભાવને જગાડવા માટે ભવ-ભવને પુરુષાર્થ જોઈએ, છતાં ગોથું ખવાઈ જાય છે અને વૈભાવિક વૃત્તિઓએ કયાંય ગોથું ખાધું સાંભળ્યું નથી. અફાટ વિશ્વનાં અનંત અનંત પ્રાણીઓનું વિભાવરૂપ પરિણમન નિરંતર ચાલુ જ છે. બંધુઓ ! શા માટે આમ? આપણું પિતાનું જ સ્વરૂપ છે તે આપણાથી યેજને દૂર અને પરના સંગનું પરિણમન અતિ નિકટ ! બસ, કારણ એ જ કે કયારે ય સ્વભાવમાં વસવાને વિચાર કર્યો નથી અને પરભાવમાંથી ખસવાને સંકલ્પ કર્યો નથી! પણ જેને આત્માર્થ પ્રગટ થઈ ચુકયો છે એટલે જે આત્માના અર્થમાં જ પ્રવૃત્ત છે તે જીવ સ્વભાવ દશાની પ્રાપ્તિના પુરુષાર્થમાં જ હેય. તેનામાં એવી સત્પાત્રતા પ્રગટી ચૂકી છે. આવી સત્પાત્રતા ન પ્રગટે તે મોક્ષમાર્ગને પામી શકે નહીં. અને માર્ગ ભૂલેલા જીવ, માર્ગને ચૂકી જ્યાં ત્યાં આથડતે જીવ, પાસે પડેલા રત્નને ઓળખી શકતો નથી. આત્માથી આત્માને પામવાને છે. બીજું કશું જ કરવાનું નથી. બસ, આટલું સમજી જાય, કેઈ સમજાવનાર મળી જાય તે પોતામાં સમાઈ જવાને પુરુષાર્થ કરે. સમજાવનાર સદ્દગુરુ નથી મળ્યા માટે જ આથડે છે. કબીર કહે છે - ભટક મુઆ ભેદ બિના, કૌન બતાવે ધામ? ચલતે ચલતે જુગ ગયે, પાવ કેસ પર ગામ! અરેરે ! આજ સુધી “ભેદ્ર (સદ્ગુરુ) ન મળ્યા તેથી જ નકામે ભટકી મૂઓ! સદ્ગુરુ વિના નિજનું ધામ કેણ બતાવે? ચાલતાં ચાલતાં યુગો વીતી ગયા પણ ધામ ન પામી શક્યો. આજે સમજાય છે કે જ્યાંથી નીકળે ત્યાંથી માત્ર પા કેશ દૂર જ ગામ હતું ! ખરેખર ! પા કેશ પણ દૂર નથી. અનંત કાળથી આ લેકમાં આથડીએ

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424