Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 394
________________ જીવ લહે નહીં જોગ 325 આત્માથી આત્માને પામવે તે જ ધર્મ છે. તે માટે તે વિશેષ યેગ્યતા જોઈએ જ. એ સિવાય આત્માને પામવાને અધિકારી એ બની શકતો જ નથી. એ માટે જ શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાથીનાં લક્ષણો વર્ણવે છે. એ કહેવા માગે છે કે ધર્મ કરતાં પહેલાં જાતને તપાસી લેજે કે ધર્મ કરવાના અધિકારી બની શકીએ એટલી યોગ્યતા કેળવી છે કે નહીં ! જે હા, તે બહુ સારું. અને ના, તે કેળવી લેજે. ગઈ કાલે જ આપણે આત્માથીનાં વિશિષ્ટ લક્ષણે જોઈ ગયા. કક્ષાની ઉપશાંતિ, મેક્ષ સિવાયની અન્ય ઈચ્છાઓને નાશ, સંસાર પ્રત્યે ઊંડી ઉદાસીનતા અને કરૂણાથી ભરેલું અંતર, આટલાં લક્ષણો સહિત જીવ જ ધમ કરવાને પાત્ર બને છે. એ જ વાત આગળ કહે છે દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહી જોગ મેક્ષ માગ પામે નહીં. મટે ન અંતર રેગ.... 39. ઉપર કહી એવી દશા સહજ સ્વભાવમાં વણાઈ જાય તેનું નામ જ પાત્રતા ધર્મ સહજતાને સ્પર્શે છે. કૃત્રિમતા હોય ત્યાં ધર્મને સ્પર્શ ન થાય. કાગળનાં બનાવેલ ફૂલમાં રૂપ, રંગ ને આકૃતિ આવી શકે પણ ફૂલના ગુણધર્મો ન આવી શકે. ગમે તેવા ઊંચા કાગળમાંથી બનાવેલું ફૂલ હોય અને મધું પણ હોય, છતાં તેનામાં ફૂલના ગુણ ન હોય, પરંતુ મૂળ ફૂલ પછી ભલે એ વગડામાં ઉગ્યું હોય, કેઈની યે માવજત વિના આપ મેળે વિકસિત થયું હોય પણ તેનામાં સહજ ગુણ હોય જ. બંધુઓ ! ધર્મ એ આત્માને સહજ સ્વભાવ છે. એ સ્વભાવને પામવા માટે આત્મામાં જેટલી ગ્યતાની આવશ્યકતા છે તે પ્રગટે, સહજ રૂપે પરિણમે, તો જ ધર્મ થઈ શકે. ધર્મ એ સહજાત્મ સ્વરૂપ સ્થિતિ છે. - આપણા માટે મોટા દુઃખની વાત તો એ છે કે વૈભાવિક વૃત્તિઓ આપણામાં બહુ જ સહજ રૂપે પરિણમતી હોય છે. તેના માટે કશે જ પ્રયત્ન કરે ન પડે. અનાયાસે વૃત્તિઓ પ્રગટ થઈ જ જતી હોય. અરે! કદાચ બહાર ન દેખાય તે પણ અંદરમાં તે રાગ-દ્વેષાદિની ભાવનાઓ આવ્યા જ કરતી હોય. રાગને કે દ્વેષને જન્માવવા માટે એક

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424