Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 387
________________ 318 હું આત્મા છું સવળી માન્યતાની રાખ વડે, કષાયના અગ્નિને ભારી દીધો હોય. પણ એ રાખમાં યે એટલી શક્તિ હોય કે તે અગ્નિની ઉષ્ણતાને અનુભવ ન થવા દે. આવા જીને કષાના ઉદય નવતે એમ નહીં, પણ એ સાવધાન હોય, તેથી આવેલા ઉદયમાં ભળી ન જાય. કદાચ કયારેક સાવધાની ચૂકાય અને ઉદય તેને પિતાનામાં ખેંચી જાય. તે ત્યાંથી તરત જ પાછા વળવાની જાગૃતિ સામર્થ્ય કેળવી લીધું હોય ઉદયમાં આવેલા કષાયમાં ભળી જવા પણ થાય કે તરત આત્માથી વિચારે, કે કષાય એ મારું સ્વરૂપ નથી. હું અકષાયી, નિર્મલ આત્મા છું, કેધાદિ રૂપ પરિણમવું એ પરભાવ છે. પરભાવના આશ્રયે આશ્રવ આવે અને એના પરિણામે બંધ પરંપરાની કડી જોડાતી જાય માટે કેધાદિન નિમિત્તે અંદરમાં ઉદય પામતા ધાદિ સ્વરૂપ હું ન હોવાના કારણે, મારે મારામાં રહેવું છે. આ ઉદય સમયના પરિપાક સાથે પૂર્ણ થશે અને કર્મો નિર્જરી જશે.” ઉદયમાં આવેલ કર્મોને અનુભવ જીવ કરે કે ન કરે. તે ખરવાના સ્વભાવવાળા છે માટે ખરી જ જશે. જરૂરી નથી કે જેટલાં કર્મોને ઉદય થાય તે સર્વને અનુભવ કરે જ ! સર્વનું વેદના થાય જ ! ન પણ થાય છતાં તેની નિર્જરા થઈ જ જાય છે. મહાપુરુષોના જીવનમાં તે સાંભળ્યું જ છે, કે તેઓ આત્મ-સ્વરૂપની રમણતામાં લીન હતા-અંદરને આનંદ લૂંટતા હતા, તેથી બહાર ગમે તેવાં નિમિત્તો આવ્યાં તેઓ ડગ્યા નહીં. ઉદયમાં ભળ્યા નહીં. કર્મોની સામું તેઓએ જોયું નહીં. બિચારાં કર્મો નિર્માલ્ય થઈને ચાલ્યાં ગયાં. અરે ! આપણા વ્યાવહારિક જીવનમાં પણ આપણે અનુભવ્યું છે કે કોઈ કડવા શબ્દ-પ્રહારથી આપણને ઉત્તેજિત કરવા ધારે, પણ આપણે મનથી નિશ્ચય કર્યો હોય કે મારે ઉત્તેજિત નથી જ થવું, અને ન થઈએ તે સામે માણસ એકલો કયાં સુધી ઝઝૂમી શકે ! તે થાકીને ચાલ્યો જાય છે, હારી જાય છે. એમ જ બંધુઓ ! આપણું કર્મોનું પણ એવું જ છે. એ ઉદયમાં તે આવ્યા જ કરશે, એને ઉદયમાં આવવાને કમ એક પળ પણ રેકતા નથી. તે નિરાબાધ ગતિથી આવ્યા જ કરે. પણ સાક્ષીભાવે જેવા ટેવાયેલે આત્માથી જીવ તેને માત્ર જોયા કરે, તેમાં ભળે નહીં.

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424