Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૩/૨૦ • यावत्पदार्थप्रकाशनम् ॥
२०३९ शकलस्य वृत्तौ “यस्माच्च विशेषात् परतो वस्तुनोऽन्ये विशेषा न सम्भवन्ति, सोऽन्त्यः।
अथवा सम्भवत्सु अपि अन्यविशेषेषु यतो विशेषात् परतः प्रमातुः तज्जिज्ञासा निवर्त्तते सोऽन्त्यः । तम् अन्त्यं विशेषं यावद्” (वि.आ.भा.२८४ म.व.पृ.८४) इति श्रीहेमचन्द्रसूरयः प्राहुः। ____ततश्च प्रमेयत्व-सत्त्व-द्रव्यत्वाऽऽत्मत्व-ज्ञान-केवलज्ञानाऽयोगिकेवलज्ञान-सिद्धकेवलज्ञान-प्रथमसमय-म सिद्धकेवलज्ञानादीनाम् उत्तरोत्तरविशेषधर्माणाम् अनन्तानाम् आत्मनि सत्त्वेऽपि चैत्रस्य ज्ञानलक्षणव्यावर्तकधर्मोपलम्भोत्तरं तदन्यविशेषपर्यायगोचरजिज्ञासाविरहे तं प्रति ज्ञानमेव अन्त्यविशेषपर्यायविधया बोद्धव्यम् । तत्पुरस्कारेण आत्म-कर्मणोः अन्योऽन्यानुगतयोः विभजने स विभागो युक्तः। किन्तु अन्त्यविशेषपर्यायं यावद् विभक्तव्यवहारोऽन्योऽन्यानुगतानां न युक्त इत्याशयः सम्मतितर्ककृताम् । "
_ 'अन्त्यविशेषपर्यायान् यावद् विभजनम् अयुक्तम्' इत्यत्र यावत्पदं मर्यादाऽर्थकम् । ततश्च का કે “જે વિશેષ પર્યાય પછી વસ્તુના અન્ય વિશેષ ગુણધર્મો ન સંભવે તે અત્યવિશેષ કહેવાય.”
શંકા - વસ્તુમાં તો ઉત્તરોત્તર નવા નવા અનન્તા વિશેષ ગુણધર્મો સંભવે છે. તે બધાનું છદ્મસ્થ જીવને સ્પષ્ટપણે જ્ઞાન કેવી રીતે થશે ? અને તો પછી વિભક્તવ્યવહાર ક્યારે યોગ્ય ગણાશે ?
સમાધાન :- (અથવા) તમારી વાત સાચી છે. તેથી જ હેમચંદ્રસૂરિજીએ ત્યાં “અથવા' કહીને અન્ય વિશેષપર્યાયની બીજી ઓળખ આપી છે કે “વસ્તુમાં રહેલા અમુક વિશેષ ગુણધર્મનું ભાન કર્યા બાદ ઉત્તરોત્તર અન્ય વિશેષ ગુણધર્મોનો વસ્તુમાં સંભવ હોવા છતાં પણ વિશેષજ્ઞ પુરુષને નવા-નવા વિશેષ ગુણધર્મની જિજ્ઞાસા ઊભી ન થાય તો તે જ્ઞાત વિશેષધર્મ તે પુરુષ માટે અંત્ય વિશેષ ગુણધર્મ સમજવાનો.”
(તરઘ.) તેથી શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે કરેલી વ્યવસ્થા મુજબ, વિચારીએ તો આત્મા વગેરેમાં પ્રમેયત્વથી માંડીને સત્ત્વ, દ્રવ્યત્વ, આત્મત્વ, જ્ઞાન, કેવલજ્ઞાન, અયોગ કેવલજ્ઞાન, સિદ્ધકેવલજ્ઞાન, પ્રથમસમયસિદ્ધ કેવલજ્ઞાન.... વગેરે ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મબુદ્ધિગમ્ય એવા અનંતા વિશેષ ગુણધર્મો = અન્યત્રાવર્તકપર્યાયો રહેલા છે. પ્રસ્તુતમાં પ્રમેયત્વ અભાવમાં પણ રહે છે. પરંતુ ત્યાં સત્ત્વ = ભાવત્વ નથી રહેતું. તથા સર્વ ગુણમાં પણ રહે છે. પરંતુ ત્યાં દ્રવ્યત્વ નથી રહેતું. આમ પ્રમેયત્વની અપેક્ષાએ સત્ત્વ વગેરે ઉત્તરોત્તર ગુણધર્મો વિશેષપર્યાય સ્વરૂપ છે. છદ્મસ્થ જીવને બધા જ વિશેષપર્યાયોનું જ્ઞાન થતું નથી. પણ કર્મ અને આત્મા વચ્ચે ભેદરેખા પાડનાર તરીકે આત્મગત જ્ઞાન નામના વિશેષ ધર્મનું ચિત્રને જ્ઞાન થયા બાદ ચૈત્રને આત્મગત અન્ય વિશેષ ગુણધર્મની જિજ્ઞાસા જો ઊભી ન થાય તો ચૈત્ર માટે તે “જ્ઞાન” જ અંત્ય વિશેષપર્યાય કહેવાશે. તથા તેનો ઉલ્લેખ કરવાપૂર્વક પરસ્પરમીલિત આત્મા અને કર્મ વચ્ચે ભેદ જણાવવામાં આવે તો તે વિભાગ યોગ્ય છે. પરંતુ અચરમ વિશેષપર્યાય સુધી જે વિભક્તવ્યવહાર અન્યોન્ય અનુગત એવા પદાર્થોમાં કરવામાં આવે તો તે યોગ્ય નથી. આ પ્રમાણે સમ્મતિતર્કકાર શ્રીસિદ્ધસેનદિવાકરજીનો પ્રસ્તુતમાં આશય જણાય છે.
# ચાવત્ શબ્દ મર્યાદાવાચક # (‘કન્ય.) “જ્યવિશેષપર્યાયામ્ યવત્ વિમનનમ્ કયુ” આ વાક્યમાં જે “થાવત્' શબ્દ લખેલ છે તેનો અર્થ મર્યાદા છે, અભિવિધિ નથી. દ્વિતીયાવિભક્તિવાળા પદથી જેનો ઉલ્લેખ થાય તેની બાદબાકી