Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०९८ 0 सामान्य-विशेषगुणस्वरूपद्योतनम् ।
१३/१७ प ततश्च देवसेनस्य दिगम्बरसम्प्रदायबहिर्भूतत्वम् अपि अप्रत्याख्येयम् ।
वस्तुतो द्रव्यत्वाऽवच्छिन्ननिष्ठात्यन्ताभावाऽप्रतियोगिगुणस्यैव सामान्यगुणकदम्बके प्रवेशौचित्यात्, - अस्तित्व-वस्तुत्वादिवत् । निश्चयतो द्रव्यविभाजकविभिन्नधर्माश्रयवृत्तिगुणस्यैव सामान्य-विशेषगुणवृन्दमध्ये - निवेशौचित्यात्, अचैतन्यादिवत् । निश्चयतो द्रव्यविभाजककेवलैकधर्मावच्छिन्नवृत्तिगुणस्य तु विशेषगुण
समूहे समावेशौचित्यात्, चैतन्यादिवत् । क स्वाश्रये सजातीयापेक्षया अनुगतबुद्धिजनकत्वेन विजातीयापेक्षया च व्यावृत्तिबुद्धिजनकत्वेन णि सामान्य-विशेषगुणत्वविवक्षायां तु विशेषगुणविधया सम्मतानामपि वर्ण-गन्धादीनां तत्त्वं प्रसज्येत । પણ લક્ષમાં રાખેલ નથી. તેથી દેવસેન દિગંબરસંપ્રદાયબાહ્યત્વ નામનું કલંક પણ અટકાવી શકશે નહિ.
પ્રફ સામાન્ય-વિશેષગુણનું લક્ષણ ; . (વસ્તુ) વાસ્તવમાં તો (૧) સર્વ દ્રવ્યમાં જેનો અભાવ કદાપિ ન હોય તેવા ગુણનો જ સામાન્યગુણસમૂહમાં પ્રવેશ કરવો યોગ્ય છે. જેમ કે અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે. (૨) દ્રવ્યવિભાજક જુદા-જુદા ગુણધર્મોના આશ્રયમાં નિશ્ચયથી રહેનારા ગુણનો જ સામાન્ય-વિશેષ ગુણોના સમૂહમાં પ્રવેશ કરવો ઉચિત છે. દા.ત. દ્રવ્યવિભાજક ધર્મત્વ, અધર્મત્વ, આકાશત્વ, પુદ્ગલત્વ – આ ચાર ગુણધર્મોના આશ્રયભૂત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને પુદ્ગલ દ્રવ્યમાં રહેવાના લીધે અચૈતન્ય વગેરેને સામાન્યવિશેષગુણ તરીકે સમજી શકાય. (૩) દ્રવ્યવિભાજક માત્ર એક જ ગુણધર્મના તમામ આશ્રયમાં નિશ્ચયથી જે ગુણ રહે તેનો તો વિશેષગુણવૃંદમાં જ નિવેશ થવો વ્યાજબી છે. જેમ કે ચૈતન્ય, મૂર્તત્વ સ વગેરે ગુણો. ચૈતન્ય તો દ્રવ્યવિભાજક એક જ જીવત્વ ગુણધર્મના આશ્રયમાં રહે છે. તેમજ મૂર્તત્વ
પણ દ્રવ્યવિભાજક એક જ પુદ્ગલત્વના આશ્રમમાં રહે છે. તેથી ચૈતન્ય-મૂર્તત્વ સામાન્ય-વિશેષગુણાત્મક તો બની ના શકે.
જ દેવસેનનો આક્ષેપ આક્ષેપ :- ચૈતન્ય અને મૂર્તત્વ ગુણ માત્ર એક જીવ કે એક પુદ્ગલ દ્રવ્યમાં રહેતા નથી. પરંતુ અનંતા જીવોમાં ચૈતન્ય રહે છે. તથા અનંતા પુદ્ગલોમાં મૂર્તત્વ રહે છે. તેથી સજાતીય દ્રવ્યોની અપેક્ષાએ તે સ્વાશ્રયમાં અનુગતબુદ્ધિજનક હોવાથી સામાન્યગુણાત્મક પણ છે તથા વિજાતીયદ્રવ્યોની અપેક્ષાએ તે સ્વાશ્રયમાં વ્યાવૃત્તિબુદ્ધિના જનક હોવાથી વિશેષગુણાત્મક પણ છે. આ કારણે ચૈતન્ય અને મૂર્તત્વ ગુણનો સામાન્ય-વિશેષગુણવિભાગમાં જ પ્રવેશ થાય તે વ્યાજબી છે, વિશેષગુણવિભાગમાં નહીં.
ક દેવસેનમતમાં નવી સમસ્યા ઝાફ નિરાકરણ :- (સ્વા.) સજાતીય દ્રવ્યની અપેક્ષાએ સ્વાશ્રયમાં અનુગતબુદ્ધિજનક હોવાથી તથા વિજાતીય દ્રવ્યની અપેક્ષાએ સ્વાશ્રયમાં વ્યાવૃત્તિબુદ્ધિજનક હોવાથી જો ચૈતન્યાદિને સામાન્ય-વિશેષગુણ તરીકે માનવા હોય તો વિશેષ ગુણ તરીકે દેવસેનસંમત એવા વર્ણ-ગંધ વગેરે પણ સામાન્ય-વિશેષગુણ બની જવાની સમસ્યા દેવસેનમતમાં ઊભી થશે. કારણ કે વર્ણાદિના આશ્રય અનેક હોવાથી વર્ણાદિ ગુણો પોતાના આશ્રયમાં સજાતીય પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ “આ પુદ્ગલ છે, આ મુદ્દગલ છે' - આવી અનુગત બુદ્ધિને