Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१५१
.
૨૪/૬
• व्यञ्जनार्थपर्यायमीमांसा : “अशुद्धार्थपर्यायाः जीवस्य षट्स्थानगतकषायहानि-वृद्धितः विशुद्धिसङ्क्लेशरूपशुभाऽशुभलेश्यास्थानेषु प ज्ञातव्याः” (पञ्चा.१६) इति पञ्चास्तिकायवृत्तौ जयसेनाचार्यः ।
निरुक्तस्व-परापेक्षसदृश-विसदृशव्यञ्जनाऽर्थपर्यायैः अस्तित्व-नास्तित्वाभ्यां समनुविद्धं समुत्पादादित्रैलक्षण्यान्वितं वस्तुत्वाऽवच्छिन्नं समवसेयम् । तदिदमभिप्रेत्योक्तं स्याद्वादकल्पलतायाम् – “तत्र च परपर्यायैर्विसदृशैः पटत्वादिभिर्नास्ति घटद्रव्यम्, सदृशैस्तु सत्त्व-द्रव्यत्व-पृथिवीत्वादिभिः व्यञ्जनपर्यायैरस्त्येव, श साधारणाऽसाधारणस्य सामान्य-विशेषरूपस्य वस्तुनो गुण-प्रधानभावेन सदादिशब्दवाच्यत्वात् । अर्थपर्यायैस्तु ऋजुसूत्राभिमतैः सदृशैरपि नास्ति, अन्योन्यव्यावृत्तस्वलक्षणग्राहकत्वात् तस्य। स्वपर्यायैरपि प्रत्युत्पन्नैः ।। तत्समयेऽस्त्येव, विगत-भविष्यद्भिस्तु कथञ्चिदस्ति, कथञ्चिद् नास्ति, तत्काले तच्छक्त्या तस्यैकत्वात्, णि
છે લેશ્વાસ્થાનમાં અશુદ્ધ અર્થપર્યાય છે. (“.) પંચાસ્તિકાયવ્યાખ્યામાં દિગંબરાચાર્ય જયસેનજી એમ કહે છે કે “અનંતભાગ-અસંખ્યભાગ -સંખ્યાતભાગ-સંખ્યાતગુણ-અસંખ્યાતગુણ-અનંતગુણ આ પ્રમાણે ષસ્થાનસંબંધી કષાયની હાનિ થવાથી પ્રાપ્ત થનાર વિશુદ્ધિસ્વરૂપ શુભલેશ્યાના સ્થાનોમાં તથા ષસ્થાનપતિત કષાયવૃદ્ધિ થવાથી પ્રાપ્ત થનાર સંક્લેશાત્મક અશુભલેશ્યાના સ્થાનોમાં જીવના અશુદ્ધ અર્થપર્યાયો જાણવા.” સમયમાત્રસ્થિતિક નહિ પણ અંતર્મુહૂર્વકાલીન સ્થિતિવાળા હોવાથી ઉપરોક્ત અર્થપર્યાયો અશુદ્ધ તરીકે અહીં દર્શાવેલ છે.
જે વિભિન્ન વ્યંજન-અર્થપચંચથી સઅસત્ ત્રિલક્ષણ જગત છે (નિ.) હમણાં આ શાખામાં જણાવી ગયેલા સ્વસાપેક્ષ અને પરસાપેક્ષ એવા સમાન અને અસમાન એવા વ્યંજનપર્યાયની અપેક્ષાએ તથા અર્થપર્યાયની અપેક્ષાએ અસ્તિત્વ અને નાસ્તિત્વ દ્વારા વણાયેલ પ્રત્યેક વસ્તુ સમુત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી અત્યંત મિશ્રિત થયેલ છે - તેમ સમજવું. આ જ અભિપ્રાયથી મહોપાધ્યાય એ શ્રીયશોવિજયજી મહારાજે સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યાના સાતમા સ્તબકમાં જણાવેલ છે કે “વસ્તુના આ ગુણધર્મોની બાબતમાં આ જાણવા યોગ્ય છે કે પદાર્થના જે વિસદશપર્યાય એટલે કે પરપર્યાય હોય છે, કે તે ધર્મોથી પદાર્થનું અસ્તિત્વ નથી હોતું. જેમ કે પટવારિરૂપે ઘટદ્રવ્યનું અસ્તિત્વ નથી હોતું. પરંતુ જે સદશપર્યાય હોય એટલે કે વસ્તુમાં અનુવૃત્ત ધર્મ હોય, તે બધા ઘટના સ્વપર્યાય કહેવાય. જેમ કે ઘટદ્રવ્યમાં | રહેલ સત્તા-દ્રવ્યત્વ-પૃથ્વીત્વ વગેરે. આ ધર્મોથી ઘટનું અસ્તિત્વ હોય છે. વસ્તુ સાધારણ-અસાધારણ અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક હોય છે. વસ્તુમાં રહેલ આ સામાન્ય-વિશેષાત્મક રૂપોમાં ગૌણ-મુખ્યભાવની વિવક્ષાથી તે વસ્તુ સત વગેરે સામાન્ય શબ્દથી અને ઘટ વગેરે વિશેષશબ્દથી વાચ્ય બને છે. ઋજુસૂત્રનય અનુસાર, સદશ (=સામાન્ય) અર્થપર્યાયોથી પણ વસ્તુનું અસ્તિત્વ નથી હોતું. કેમ કે તે નય પરસ્પરવ્યાવૃત્ત સ્વલક્ષણ વસ્તુનો ગ્રાહક છે. તથા ઋજુસૂત્રમતે સ્વકીય વિલક્ષણપર્યાયો = વિશેષપર્યાયો પણ જે વર્તમાનકાલીન હોય, તેનાથી જે વસ્તુનું અસ્તિત્વ હોય છે. તથા તે પર્યાયોથી વસ્તુનું અસ્તિત્વ હોય જ છે. પરંતુ પ્રસ્તુત ઋજુસૂત્ર સુનય હોવાથી નૈગમાદિનયને સાપેક્ષ છે. તેથી તેના મતે અતીત અને ભાવી સ્વપર્યાયોથી વસ્તુનું કથંચિત્ અસ્તિત્વ અને કથંચિત્ નાસ્તિત્વ બન્ને હોય છે. કેમ કે વસ્તુ પોતાની શક્તિથી (= ઊર્ધ્વતા સામાન્યથી = પોતાના દ્રવ્યાંશરૂપથી) વર્તમાનકાળમાં, ભૂતકાળમાં અને ભાવિકાળમાં પણ એક હોય છે. તેથી વર્તમાન કાળે પણ ઊર્ધ્વતાસામાન્યશક્તિરૂપે અતીત – અનાગત સ્વપર્યાયોથી દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક તે વસ્તુ અભિન્ન