Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 405
________________ ૧/૨-૭ ० तुच्छाशयवन्तः कपटपरायणाः . २३१७ -सकामनिर्जरादिकं प्रणिधातव्यम् । सानुबन्धसकामकर्मनिर्जराऽऽत्मशुद्धि-सद्गुणावाप्ति-संवर-निर्जरा प -जिनाज्ञाऽऽराधनादिप्रणिधानं विस्मृत्य केवलजनमनोरञ्जनेहलौकिकानुकूल्य-यशकीर्त्यादिप्राप्तिलक्ष्यतः रा धर्मक्रियाकरणं महामाया एव । जिनोक्तोत्तमाशयपरित्यागेन धर्मक्रियायां तुच्छाशयप्राधान्यार्पणं कपटमेव। . आत्मश्रेयो-निःश्रेयसवैमुख्यवृत्तिरपि प्रकारान्तरेण शाठ्यमेवोग्रधर्मचर्यावताम् । एतादृशबकवृत्तिसेवनेनोग्रसंयमचर्यापरिशीलनमज्ञानकष्टमेव मिथ्यात्वमोहनीयकर्मोदयकार्यञ्च । मतिविपर्यासान्न ते स्वशाठ्यं । जानन्ति । एवंविधावस्था अस्माकं न स्यादित्यवधेयमेतावता। वस्तुतः परद्रव्यादिरुचिरेव मतिविपर्यासं जनयति । परद्रव्यादिरुचिपरतया धर्मोपदेशादिपर-णि लक्ष्यतोऽपि जायमानयोः मति-श्रुतयोः मिथ्यात्वमेव । निजशुद्धचैतन्यस्वभावमाहात्म्य-लक्ष्य-रुचि-समादरादिना का આત્મશુદ્ધિ, સણપ્રાપ્તિ, સંવર-નિર્જરાની આરાધના, જિનાજ્ઞાની ઉપાસના કરવાનું લક્ષ્ય ભૂલીને “માત્ર લોકોને ખુશ કરવા, આ-લોકની અનુકૂળતા પ્રાપ્ત કરવી, યશ-કીર્તિને મેળવવી” – આ જ મુખ્ય લક્ષ્ય ધર્મક્રિયાની પાછળ ગોઠવાઈ જાય તો તે એક જાતની મહામાયા છે. ભગવાને બતાવેલા ઉત્તમ આશયને છોડી ધર્મક્રિયાની પાછળ તુચ્છ આશયને કેન્દ્રસ્થાને સ્થાપિત કરવો - તે એક જાતની લુચ્ચાઈ જ છે. ઉગ્ર ધર્મચર્યા કરવા છતાં પણ આત્મકલ્યાણને કે મોક્ષને પરિધિના સ્થાનેથી પણ ખસેડી દેવાનું વલણ કેળવવું તે એક જાતનું કપટ જ છે. આવું કપટ રાખીને બાહ્ય ઉગ્ર સંયમચર્યાને આચરવી તે અજ્ઞાનકષ્ટ છે. મિથ્યાત્વમોહનીય કર્મનું તે કાર્ય છે. મતિવિપર્યાસના લીધે પોતાના કપટને તે જીવો કપટ તરીકે ઓળખી શકતા નથી. આવું આપણા જીવનમાં બની ન જાય તેની સાવધાની આ શ્લોક દ્વારા મેળવવા જેવી છે. પંન્યાસપ્રવર શ્રીચરણવિજયજી મહારાજે ગુજરાતી સુભાષિત સૂક્તરત્નાવલી' માં જે નિમ્નોક્ત વાત છે જણાવી છે, તેની પણ અહીં વિભાવના કરવી. “ગુણીજનની નિંદા કરે, આપ બડાઈ અપાર; છતાં કહે હું સંત છું, એ પણ એક ગમાર.” (૯૪/૨૧ ભાગ-૧, પૃષ્ઠ-૧૭૭) આપ બડાઈ બહુ કરે,સુણે બીજાની પાસ; વગર ગુણે ગુરુજી બને, ત્રણ જગ માને દાસ.” (૧૦૯/૪ ભાગ-૨, પૃષ્ઠ-૩૩૫) “તેવા પામર માનવી, પશુ સમા હેવાન; આપ બડાઈ સાંભળી, બને સાવ બેભાન.” (૧૦૯/૫ ભાગ-૨, પૃષ્ઠ-૩૩૫) # સ્વલક્ષવિના જ્ઞાન સમ્યગ્ર બને નહિ * (વસ્તુ.) વાસ્તવમાં તો પર દ્રવ્યાદિની રુચિ = બહિર્મુખતા જ મતિમાં વિપર્યાસને જન્માવે છે. બહિર્મુખપણે પારકા દ્રવ્ય-ગુણાદિની રુચિમાં જ તત્પર બનીને બીજાને ધર્મોપદેશ આપવાના અભરખા રાખવા એ પણ પરલક્ષ જ છે. તેવા પરલક્ષથી પણ જે મતિ-શ્રુત પ્રગટે છે, તે કેવળ મિથ્યા છે. સ્વલક્ષ્ય પ્રગટાવ્યા વિના, પર લશે જે પણ બોધ થાય તે મિથ્યા જ બને, મિથ્યાત્વપોષક બને. ધર્મોપદેશકોએ આ વાતને ગંભીરતાથી સાંપ્રત કાળે ધ્યાનમાં લેવા જેવી છે. પોતાના જ ચૈતન્યસ્વભાવનો મહિમા અંદરમાં પ્રગટે, તેની જ લગની જાગે, તેનું જ સર્વત્ર લક્ષ્ય રહે, સર્વદા તેનો જ સાચો આદરભાવ

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446