Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
f
२२१० ० देवसेनमतसमीक्षा :
१४/१६ રા એ ચાર ભેદ પણિ પ્રાયિક જાણવા; (જેણિક) જે માટઈ (અણુપજ્જવ8) “પરમાણુરૂપ દ્રવ્યપર્યાય શ તે એ ચારમાંહિ ન અંતર્ભવઈ. પર્યાયપણું તેહનઈ વિભાગજાત શાસ્ત્રિ કહિઉં છઈ. (તેથી તે સંત = સત્ય.)
आयतानैक्यप्रतिपत्तिनिबन्धनः गुणपर्यायः। सोऽपि द्विविधः - (A) स्वभावपर्यायः (B) विभावपर्यायश्च ।
तत्र (A) स्वभावपर्यायः नाम समस्तद्रव्याणाम् आत्मीयाऽऽत्मीयाऽगुरुलघुगुणद्वारेण प्रतिसमयसमुदीयमानरा षट्स्थानपतितवृद्धि-हानिनानात्वाऽनुभूतिः, (B) विभावपर्यायः नाम रूपादीनां ज्ञानादीनां वा स्व-परप्रत्यय
प्रवर्त्तमानपूर्वोत्तराऽवस्थाऽवतीर्णतारतम्योपदर्शितस्वभावविशेषाऽनेकत्वापत्तिः” (प्र.सा.९३ वृ.पृ.१६३) इत्येवं - द्रव्यपर्याय-गुणपर्याया दर्शिताः। अधिकं तु ततो बोध्यम्।।
एते चत्वारः पर्यायभेदा अपि प्रायशो विज्ञेयाः, न तु ‘चत्वार एवे'ति अवधारणबुद्ध्या, के परमाणुपर्ययाऽनिवेशात् = परमाणुलक्षणस्य पुद्गलद्रव्यपर्यायस्य चतुर्पु पर्यायेषु अनन्तर्भावात् ।
तथाहि - द्वाभ्यां पुद्गलाभ्यां बहुभिः वा पुद्गलद्रव्यैः सम्भूय परमाणोः अनुत्पादेन सजातीयद्रव्यपर्यायता " न सम्भवति। भिन्नजातीयानेकद्रव्यैः सम्भूय अनुत्पादात् तस्य विजातीयद्रव्यपर्यायरूपताऽपि न का सम्भवति। तृतीय-चतुर्थों तु अप्रसक्तौ एव, परमाणोः द्रव्यपर्यायरूपत्वात् । દ્રવ્યપર્યાય છે. તથા ગુણ દ્વારા આયતમાં = કાળસાપેક્ષ ક્રમભાવી દીર્ઘ પ્રવાહમાં અનેકતાના બોધનું કારણ બનનાર ગુણપર્યાય છે. તે ગુણપર્યાયના પણ બે પ્રકાર છે. સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય. તેમાં (૧) સ્વભાવગુણપર્યાય એટલે સમસ્ત દ્રવ્યોમાં પોત-પોતાના અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી ષસ્થાનપતિત વૃદ્ધિનહાનિસ્વરૂપ અનેકતાની અનુભૂતિ. તથા (૨) વિભાવગુણપર્યાય એટલે રૂપાદિમાં કે જ્ઞાનાદિમાં સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તરકાલીન અવસ્થામાં ઉતરી આવેલ તારતમ્ય દ્વારા દેખાડાયેલ
સ્વભાવવિશેષાત્મક અનેકતાનું આગમન.” આ પ્રમાણે ત્યાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય દેખાડેલ છે. 3 આ અંગે અધિક જાણકારી તો ત્યાંથી મેળવવી.
* પરમાણુપર્યંચનો અસમાવેશ * (ત્તે) પર્યાયના આ ચાર ભેદો પણ પ્રાયઃ જાણવા. પરંતુ પર્યાયના આ ચાર જ ભેદ છે' તેમ સ ન સમજવું. કારણ કે પરમાણુ પણ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે. તથા તેનો ઉપરોક્ત ચાર પ્રકારમાં સમાવેશ
થતો નથી. તે આ રીતે - બે પુદ્ગલ દ્રવ્યો કે અનેક પુદ્ગલ દ્રવ્યો ભેગા થઈને પરમાણુને ઉત્પન્ન કરતા નથી. તેથી પરમાણુ સજાતીય દ્રવ્યપર્યાયસ્વરૂપ સંભવતો નથી. સજાતીય અનેક દ્રવ્યો ભેગા થઈને જે પર્યાયને ઉત્પન્ન ન કરે તેને સજાતીય દ્રવ્યપર્યાય કઈ રીતે કહેવાય? વળી, ભિન્નજાતિવાળા અનેક દ્રવ્યો પણ ભેગા થઈને પરમાણુને ઉત્પન્ન કરતા નથી. તેથી પરમાણુ બીજા નંબરના વિજાતીય દ્રવ્યપર્યાયસ્વરૂપ પણ બની શકતો નથી. ત્રીજા અને ચોથા પર્યાયભેદોનો તો પ્રસ્તુતમાં વિચાર કરવાનો પણ કોઈ અવકાશ રહેતો નથી. કારણ કે પરમાણુ એ દ્રવ્યનો પર્યાય છે, ગુણનો પર્યાય નથી. આમ ઉપરોક્ત ચારેય પર્યાયમાં પરમાણુ પર્યાયનો અંતર્ભાવ ન થવાથી “પર્યાયના ચાર જ ભેદ છે” – એમ કહી શકાતું નથી.
છે. લા.(૨)માં “પરમાણુહૃદયરૂપ” પાઠ.