Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 398
________________ २३१० ० परभावौदासीन्येन निजशान्तिप्रादुर्भावः ० ૨૫/ર-૧ प स्वप्रभावनाकरणवृत्तितः, सङ्घरक्षाभिधानेन स्वसमुदाय-सम्प्रदायरक्षाकरणवृत्तितः साम्प्रतं विशिष्य ... दूरेण भाव्यमित्युपदिश्यते । " शान्ति-सुखादिप्राप्तये जनमनोरञ्जन-माया-ममता-वासनाद्यावर्ते नैव जातुचिद् निमज्जनीयम्, न म वा परद्रव्याद्यनुभवपरायणतया भाव्यम् । शान्त्यादिकं परद्रव्यादितः, तत्प्रेक्षणादितः, विभावपरिणामार्श दिकर्तृत्व-भोक्तृत्वदशातो वा नैव प्रादुर्भवति। तत्सर्वपरभावौदासीन्येन ध्रुव-शुद्ध-पूर्ण-निजचैतन्या ऽखण्डपिण्डे निजवर्त्तमानोपयोगपरिणतिलीनतासम्पादनेनैव ततः साम्प्रतं शान्त्यादिकम् आविर्भवेत्, - नान्यथा। इत्थं परिपूर्ण-परिशुद्ध-शाश्वत-निजपरमशान्तस्वभावप्रादुर्भावतः “सिद्धक्षेत्रे विमले, जन्म-जरा -मरण-रोगनिर्मुक्तः। लोकाग्रगतः सिध्यति, साकारेणोपयोगेन ।।” (प्र.र.२८८) इति प्रशमरती प्रदर्शिता का सिद्धिः प्रत्यासन्ना स्यात् ।।१५/२-५ ।। પોતાના સંપ્રદાયની જ રક્ષા કરવી - આ પણ કપટવૃત્તિ છે. આવી માયાવૃત્તિથી પણ આ કાળમાં વિશેષ પ્રકારે દૂર રહેવા જેવું છે. અ સાચી શાંતિને મેળવવાનો ઉપાય છે. (શાન્તિ) હકીકતમાં દરેક જીવ શાન્તિ, સુખ વગેરેના જ કામી છે. તે માટે જ સર્વ જીવો પ્રયત્ન કરે છે. પણ તેનું સાચું સાધન ન પકડવાથી તેની પ્રાપ્તિ થતી જ નથી. જેણે તાત્ત્વિક શાન્તિ, સુખ વગેરે મેળવવા છે, તેણે ક્યારેય પણ જનમનરંજન, માયા, મમતા, વાસના વગેરેના વમળમાં ડૂબવું ન જ જોઈએ કે પર દ્રવ્ય-ગુણાદિનો અનુભવ કરવામાં ગળાડૂબ થવું ન જ જોઈએ. હે ભવ્યાત્મા! એ તારે આત્માની શાંતિ વગેરે ગુણવિભૂતિને પ્રગટ કરવી જ છે, તો તે ક્યારેય પારકા દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી નહીં આવે, પારકી વસ્તુ સામે જોવાથી નહિ જ આવે. રાગાદિ વિભાવપરિણામ કે ક્ષણિક વિકલ્પ વગેરે પર્યાયના કર્તા-ભોક્તા બનવાની અવસ્થામાંથી પણ શાંતિ વગેરે ક્યારેય પણ, ક્યાંય પણ, કોઈને એ પણ પ્રગટી શકે જ નહિ. તેથી તે તમામ પરભાવના લક્ષને છોડી દે. તે તમામ પારકા દ્રવ્યાદિથી પરમ ઉદાસીન બનીને ધ્રુવ, શુદ્ધ, પરિપૂર્ણ એવા પોતાના ચૈતન્યના અખંડ પિંડમાં જ તારી પોતાની વર્તમાન ઉપયોગપરિણતિને એકાકાર કર, તન્મય બનાવ. તારા ધ્રુવ, શુદ્ધ, પૂર્ણ ચૈિતન્યસ્વભાવના આધારે જ સાંપ્રત અવસ્થામાં સાચી શાંતિ વગેરે પ્રગટ થાય. બીજી કોઈ રીતે તાત્ત્વિક શાંતિ મળશે નહિ. આ રીતે અહીં બતાવેલ માર્ગે ચાલીને પરિપૂર્ણ, પરિશુદ્ધ, શાશ્વત એવા પોતાના જ પરમ શાંતસ્વભાવને પ્રગટ કરવાથી પ્રશમરતિમાં દર્શાવેલ સિદ્ધિ નજીક આવે છે. ત્યાં ઉમાસ્વાતિવાચકે જણાવેલ છે કે “જન્મ -જરા-મરણ-રોગથી સંપૂર્ણતયા છૂટી ગયેલ તથા વિમલ સિદ્ધિક્ષેત્રમાં લોકાગ્ર ભાગને પામેલ આત્મા સાકાર ઉપયોગથી સિદ્ધિને પામે છે.”(૧૫/ર-૫)

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446