Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१४ ० सम्यगनेकान्त उपादेयः ।
२२०१ शुद्धपर्याया भवन्ति” (नि.सा.३०/वृ.पृ.६२) इति नियमसारवृत्तौ पद्मप्रभदर्शित एकान्तः प्रतिक्षिप्तः, प यतः यथा आत्मनो मनुष्यादिपर्यायः परद्रव्यसापेक्षतया अशुद्धद्रव्यव्यञ्जनपर्यायः तथा धर्मास्तिकायादेः .. जीवादिसंयोगलक्षणः पर्यायः परद्रव्यादिसापेक्षतया अशुद्धद्रव्यव्यञ्जनपर्याय एवेति पूर्वोक्त(१४/१०)रीत्या योज्यम्।
इत्थञ्च द्रव्यव्यञ्जनपर्यायनिष्ठं परापेक्षत्वम् अशुद्धत्वव्याप्यम्, अन्यानपेक्षत्वञ्च शुद्धत्वव्या- र्श प्यमेवेत्यभ्युपगम्यते । एवञ्च सर्वत्रवाऽन्याऽनपेक्षाऽपेक्षातः शुद्धाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायोभयसमावेशलक्षणस्य अनेकान्तस्य अव्याहतप्रसरः सिध्यति । अत्र अनेकान्तोऽपि दर्शितसम्यगेकान्तरूप । एवाऽवगन्तव्यः, न तु अव्यवस्थालक्षणः सङ्कर-व्यतिकरादिलक्षणो वा।
यथाशास्त्रमेवाऽर्पणायाः सुनयापेक्षतत्त्वसाधकत्वादिति दिक् । નિરાકરણ ઉપરના નિરૂપણ દ્વારા થઈ જાય છે. અહીં કહેવાનો આશય એ છે કે જેમ આત્માનો મનુષ્યાદિ પર્યાય પરદ્રવ્યસાપેક્ષ હોવાથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે, તેમ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના જીવાદિસંયોગ સ્વરૂપ પરપર્યાય પણ પરદ્રવ્યાદિને સાપેક્ષ હોવાથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ જ બનશે. પૂર્વે (૧૪/૧૦) દર્શાવેલ પદ્ધતિ મુજબ આ બાબત વિચારવી.
અનેકાન્તવાદની સમજણ આ (.) આ રીતે ફલિત થાય છે કે “જે દ્રવ્યવ્યંજનપર્યાયમાં પરસાપેક્ષત્વ હોય તેમાં અશુદ્ધત્વ જ હોય તથા જે દ્રવ્યવ્યંજનપર્યાયમાં પરનિરપેક્ષત્વ હોય તેમાં શુદ્ધત્વ જ હોય' - આ પ્રમાણેનો નિયમ શ્વેતાંબર મનીષીઓ સ્વીકારે છે. આ રીતે બધા જ દ્રવ્યોમાં પદ્રવ્યનિરપેક્ષતાના લીધે શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને પરસાપેક્ષતાના લીધે અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય - આમ ઉભયનો સમાવેશ થવા સ્વરૂપ અનેકાન્તનો ક પ્રચાર-પ્રસાર અવ્યાહત જ રહે છે. અહીં જણાવેલ અનેકાંત પણ ઉપર જણાવેલ સમ્યગું એકાંત દા સ્વરૂપે જ જાણવો. અવ્યવસ્થા સ્વરૂપ અનેકાંત કે સંકર, વ્યતિકરાદિ દોષરૂપ અનેકાંત અહીં ન સમજવો.
ઈ સંકર-વ્યતિકરની સ્પષ્ટતા છે સ્પષ્ટતા :- ઘરે આવેલા પચીસ મહેમાનોને પૂછવામાં આવે કે “તમે જમશો કે નહિ ?' - અને તેઓ જવાબ આપે કે “અમે જમીશું જ - આવો એકાંત નથી. અમે જમીએ પણ ખરા અને ન પણ જમીએ' - મહેમાનો દ્વારા અપાતો આવો અનેકાંત સ્વરૂપ જવાબ યજમાનને ત્યાં રસોડામાં અવ્યવસ્થા સર્જી દે છે. તેથી આ અનેકાંત અવ્યવસ્થા સ્વરૂપ સમજાય છે. આવો અનેકાંત શિષ્ટ પુરુષોને ઈષ્ટ નથી. પ્રસ્તુતમાં “શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયનો એકત્ર સમાવેશ થવા સ્વરૂપ અનેકાન્ત અમને સંમત છે' - આ પ્રમાણે જે અનેકાંત શ્વેતાંબર વિદ્વાનોએ જણાવેલ છે, તે ઉપર દર્શાવેલ અવ્યવસ્થા સ્વરૂપ નથી. આ હકીક્ત હમણાં જ આપણે સમજી શક્યા છીએ. તે જ રીતે શુદ્ધત્વ અને અશુદ્ધત્વ – બન્નેના મિશ્રણ સ્વરૂપ = સંકર સ્વરૂપ અનેકાંત પણ અહીં અભિપ્રેત નથી. તથા એકબીજાના વિષયનું એકબીજામાં ગમન થવા સ્વરૂપ વ્યતિકરલક્ષણ અનેકાંત પણ અહીં અભિપ્રેત નથી.
શ્રી શાત્રાનુસારી વિવક્ષા ઉપયોગી છે (થારીત્ર.) વસ્તુમાં રહેલા અનંતા ગુણધર્મોમાંથી મન ફાવે તે ગુણધર્મને મુખ્ય બનાવવાથી તત્ત્વની