Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२०२ __ अनुकूलतावादः त्याज्य: 0
१४/१४ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – कुत्राऽपि वस्तुनि कस्यचिदपि धर्मस्य प्राधान्यं यथा शास्त्रकृतां १ सम्मतं तथा तदर्पणा कार्या, न तु यथेच्छम् । अत एव तीर्थकृत्सिद्धान्तः अनेकान्तवाद उच्यते न 8 | તુ અનુત્તતાવાર વથા (૧) ઉમરીયસુશીનતા પુર્વેત, (૨) રા'I-પનિવેશ વિઝુમ્મત, - (३) पौद्गलिकस्वार्थवृत्तिः परिवर्धेत, (४) जगज्जीवमैत्री च समुच्छिद्येत तथा शास्त्रवचनपुरस्करणं
न तीर्थकृत्सम्मतम्। श तथाहि - (१) 'शास्त्रेषूत्सर्गापवादा बहुधा दर्शिताः' इत्युक्त्वा निष्कारणं सदोषपिण्डसेवनतः क सुखशीलतापोषणं नानेकान्तवादसम्मतम् । (२) निष्कारणं गुरुसम्मतिं विना रसलम्पटतया मिष्टान्न- भोजिनः 'निर्दोषत्वाद् मिष्टान्नं मया भुक्तं सदोषत्वाच्च रूक्षाहारः त्यक्तः' इत्युक्त्या राग-द्वेषविजृम्भणं
न स्याद्वादसम्मतम् । (३) 'वैयावृत्त्यमप्रतिपाति' इत्युक्त्या परैः स्वसेवाकारापणतः पौद्गलिकस्वार्थवृत्तिका परिवर्धनं नैव विभज्यवादाभिमतम् । (४) स्वप्रतिकूलव्यवहारकारिणः साधोः स्वल्पां त्रुटिं पुरस्कृत्य સિદ્ધિ થતી નથી. પરંતુ શાસ્ત્રાનુસારે જ વસ્તુગત અમુક ધર્મને મુખ્ય બનાવવાથી તત્ત્વની સિદ્ધિ થાય છે. આ રીતે જે તત્ત્વની સિદ્ધિ થાય તે જ તત્ત્વ સુનયને સાપેક્ષ હોય છે. અન્યથા સુનયના બદલે દુર્નયને સાપેક્ષ બની જવાથી યથેચ્છ વિવક્ષા દ્વારા તત્ત્વના બદલે અતત્ત્વની સિદ્ધિ થવાની આપત્તિ આવે. તેથી જ અહીં જે અનેકાન્તને સમ્યગુએકાન્તરૂપે જણાવેલ છે તેને શાસ્ત્રાનુસારે સમજવો. અહીં જે કાંઈ પણ કહેવાયેલ છે તે તો એક દિશાસૂચન માત્ર છે. હજુ તે મુજબ આગળ ઘણું વિચારી શકાય તેમ છે. આ બાબતને જણાવવા માટે વ્યાખ્યામાં ‘વિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે.
સૂફ સગવડવાદ છોડો, સ્યાદ્વાદ પકડો ; . આધ્યાત્મિક ઉપનય :- વસ્તુગત કોઈ પણ ગુણધર્મની મુખ્યતા શાસ્ત્રકારોને માન્ય હોય તે રીતે કરાય. આપણને ફાવે તે રીતે ન કરાય. તેથી જ તારક તીર્થકર ભગવંતે બતાવેલ સિદ્ધાંતનું નામ સ્યાદ્વાદ છે છે, સગવડવાદ નથી. (૧) આપણી અનુકૂળતા પોષાય, (૨) આપણા રાગ-દ્વેષના તોફાન વધે, (૩) ઘા આપણી પૌદ્ગલિક સ્વાર્થવૃત્તિ પુષ્ટ બને અથવા તો (૪) જગતના જીવો પ્રત્યેનો મૈત્રીભાવ ખતમ થાય - તે રીતે શાસ્ત્રવચનોને આગળ ધરવાનું કાર્ય તારક તીર્થકર ભગવંતોને માન્ય નથી.
૪ કુટિલ નહિ, કમળ જેવા કોમળ બનો જ (તથા.) તે આ રીતે સમજવું - (૧) વગર કારણે દોષિત ગોચરીને વાપરનાર સાધુ “શાસ્ત્રમાં તો ઉત્સ-અપવાદ બધું બતાવેલ છે' - આવું બોલીને પોતાની અનુકૂળતા પોષે, (૨) વગર કારણે ગુરુની રજા વિના રસલપટતાથી મીઠાઈને વાપરનારો સાધુ “મને તો નિર્દોષ મીઠાઈ મળી એટલે મેં લઈ લીધી. આયંબિલખાતાનો લૂખો રોટલો દોષિત હોવાથી મેં છોડી દીધો' – આવું બોલીને પોતાના રાગ-દ્વેષને તગડા કરે, (૩) “વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે' - આવા શાસ્ત્રવચનને આગળ કરીને બીજા પાસે પોતાની સેવા કરાવી લેવાની સ્વાર્થવૃત્તિનું વલણ સાધક કેળવે, (૪) પોતાના પ્રત્યે વ્યક્તિગત પ્રતિકૂળ વ્યવહાર કરનાર એવા સાધકના જીવનમાં રહેલ કોઈ નાનકડી ત્રુટિને મુખ્ય બનાવી ‘આવા શિથિલાચારીને