Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 266
________________ २१८२ • अन्तर्मुखोपयोगेन इष्टाऽनिष्टविकल्पाऽनुत्थानम् ० १४/१० प -धनादिभिः । उत्कर्षः परपर्यायश्चिदानन्दघनस्य कः ?।।” (ज्ञा.सा.१८/५) इति ज्ञानसारकारिकाविभावनया। सा तबलेन प्रथमम् अस्माकम् उपयोगस्य ततश्च अन्तरङ्गपरिणतेः राग-द्वेषादिभ्योऽसङ्गता स्यात् । - “સ્ય જ્ઞાનસુધારસભ્ય પરબ્રહ્મળ મનતા, વિષયાન્તરસન્વીરસ્તી હતાદત્તોપમ:II(જ્ઞા.સા.ર/૨) । इति ज्ञानसारकारिकातात्पर्यार्थं विभाव्य यदा निजोपयोगः अन्तर्मुखीभूय स्वस्मिंश्च तन्मयीभूय २ सन्निहितपरज्ञेयाकारमवगाहेत तदा इष्टानिष्टविकल्पाऽनुत्थानेन निजान्तरङ्गपरिणतेः विभावपरिणामेभ्यः क असङ्गता सुकरा स्यात् । उपादेयभावेन स्वात्मकज्ञेयाकारपरिणतं हि सम्यग् ज्ञानं वीतरागताम् णि आस्कन्दमानं दर्पणतुल्यं निजनिर्मलस्वभाववशतो यथावस्थितपरज्ञेयाकारप्रतिभासशालित्वेऽपि का परज्ञेयनिमित्तकेष्टाऽनिष्टविकल्प-तज्जन्यराग-द्वेषादिविभावपरिणामप्रसवाऽसमर्थतया आत्मनोऽबन्ध છે કે “શરીરનું રૂપ, લાવણ્ય, ગામ, બગીચો, ધન (પુત્ર-પૌત્ર...) આદિ પરપર્યાયોથી ચિદાનંદઘન એવા આત્માને અભિમાન શું હોય ?' આની ઊંડી વિચારણા દ્વારા શરીરાદિથી અસંગતા અને અલિપ્તતા કેળવવી. તેના બળથી સૌપ્રથમ આપણો ઉપયોગ રાગ-દ્વેષાદિથી અસંગ બને છે. તથા ત્યાર બાદ આપણી પરિણતિ રાગ-દ્વેષ આદિથી અસંગ બને છે. આ આપણા ઉપયોગને અને પરિણતિને અસંગ બનાવીએ (“યસ્થ.) તથા “જ્ઞાનામૃતસાગરસ્વરૂપ પ્રપંચશૂન્ય શુદ્ધ આત્મજ્યોતિમાં જેને મગ્નતા પ્રગટી છે, તેવા સાધકને શુદ્ધ આત્મજ્યોતિ છોડી અન્ય વિષયોમાં મનને દોડાવવું ઝેરતુલ્ય લાગે છે' - આ મુજબ જ્ઞાનસારના શ્લોકના તાત્પર્યાર્થને ઊંડાણથી આર્દ્ર હૃદયે વિચારીને જ્યારે સાધકની રુચિ-રસ-લાગણી બહારના વિષયોમાં મરી પરવારે છે ત્યારે તેનો ઉપયોગ અંતર્મુખ બને છે, અંદરમાં ઊંડો ઉતરે છે. તથા તે અંતર્મુખ ઉપયોગ પોતાના જ સ્વરૂપમાં તન્મય બને છે, તદ્રુપ બને છે. તેની પરસમ્મુખતા દૂર થાય છે, પરલક્ષિતા છૂટી પડે છે. અનાદિ કાળથી ભિન્ન ભિન્ન પરશેયમાં ભટકવાથી વિકેન્દ્રિત તા થયેલો ઉપયોગ હવે સ્વકેન્દ્રિત બને છે. તેવી દશામાં જ્યારે ઉપયોગ સન્નિહિત પરય પદાર્થના આકારનું અવગાહન કરે છે, ત્યારે સાધકને પરશેય પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણાના વિકલ્પો ઉભા થતા નથી. તેથી અત્તરાત્માની = સાધક ભગવાનની અંતરંગ પરિણતિ સરળતાથી વિભાવપરિણામોથી અસંગ બને છે, છૂટી પડે છે. આમ પ્રથમ ઉપયોગ અને પછી અંતરંગપરિણતિ રાગાદિથી અસંગ બને છે. પરણેય પદાર્થોથી પરામુખ બનેલું જે જ્ઞાન ઉપાદેયપણે સ્વાત્મક શેયના આકારથી પરિણત થાય તેને જ સમ્યગુ જ્ઞાન કહેવાય. તે જ્ઞાન રાગાદિદશાથી છૂટું પડીને વીતરાગભાવે પરિણમે છે. સમ્યગુ જ્ઞાન દર્પણતુલ્ય હોવાના કારણે પોતાના સ્વરૂપમાં અત્યંત નિર્મળ જ રહે છે, સ્વચ્છ જ રહે છે. દર્પણમાં કોલસાનું પ્રતિબિંબ પડે તો પણ દર્પણ સ્વચ્છ જ રહે ને ! કોલસાના કાળા પ્રતિબિંબવાળું દર્પણ કાંઈ કોલસાની જેમ સ્વયં કાળું થઈ જતું નથી. આ હકીકતને સાધકે કદાપિ ભૂલવી નહિ. પોતાના સ્વચ્છસ્વભાવના લીધે તે જ્ઞાનમાં યથાવસ્થિતપણે પરશેય પદાર્થના આકારોનો પ્રતિભાસ થાય છે. પણ પરશેય જ્ઞાનરૂપે પરિણમતું નથી અને જ્ઞાન કદાપિ પરશેયરૂપે પરિણમતું નથી. પરંતુ પોતાના નિર્મળ-સ્વચ્છ સ્વભાવના સામર્થ્યથી ત્યારે સમ્યગુ જ્ઞાન સ્વયં જ પરશેયાકારના માત્ર પ્રતિભાસરૂપે પરિણમે છે. તેમ છતાં પણ

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446