Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/६
शुद्धव्यञ्जनाऽर्थपर्यायाः प्रादुर्भावनीयाः
२१५३
‘बालादयः देहपुद्गलपर्याया' इत्यनङ्गीकारे तु तात्त्विको देहाद्यात्मभेदविज्ञानपरिणामः ग्रन्थिभेदश्च सुदुर्लभौ। निजशुद्धात्मद्रव्यस्वभावविनिश्चयः अशुद्धनिश्चयनयतोऽपि न सुलभः किमुत उपचार- प् बहुलव्यवहारनयतः? बाल - युवादिपर्यायलक्ष्यतश्च स्वानुभूतिः नैव जायते । अतो यथार्थनिजशुद्धात्मद्रव्यस्वभावश्रद्धानाद्यर्थम्, ग्रन्थिभेदोत्तरकालीनाऽपरोक्षस्वानुभूत्यर्थम्, तादृशव्यञ्जनार्थपर्यायप्रवाहोच्छेदार्थञ्च तादृशव्यवहारदृष्टिः त्याज्यैव ।
म
प्रकृते “न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधिः कुतो व्यथा ? । नाऽहं बालो न वृद्धोऽहं न युवैतानि र्श पुद्गले।।” (इष्टो. २९) इति देवनन्दिकृतेष्टोपदेशकारिका विभावनीया । इत्थं संसारिदशासूचकैतादृशव्यञ्ज- क नार्थपर्यायोन्मूलनेन अस्मदीयसिद्ध-बुद्ध-मुक्तदशाज्ञापकशुद्धद्रव्यव्यञ्जनार्थपर्यायप्रकटीकरणे एव अस्मदीयं [TM તાત્ત્વિ શ્રેયઃ સમાવિષ્ટમિતિ। તતશ્વ “વિશુદ્ધસ્વરૂપતામઃ” (ધ.વિ.૮/૩૮), “ઞાત્યન્તિી. વ્યાવાધાनिवृत्तिः” (ध.बि.८/३९), “सा निरुपमं सुखम्” (ध.बि.८/४०) इत्यादिरूपेण धर्मबिन्दौ हरिभद्रसूरिदर्शितं का सिद्धस्वरूपं न दुर्लभमित्यवधेयम् ।।१४/६।।
તાત્ત્વિક શ્રદ્ધાનો સાચો દીપક તે વ્યવહારોની દૃઢ શ્રદ્ધા કરવા જતાં બૂઝાઈ જાય છે. સ્વાનુભૂતિ માટે વ્યવહારદૃષ્ટિ ત્યાજ્ય
(‘વાતા.) ‘બાલ, યુવાન વગેરે દેહપુદ્ગલના જ પર્યાયો છે' - આવો સ્વીકાર જો ન થાય તો ‘શરીર અને આત્મા જુદા જ છે' - આવી તાત્ત્વિક ભેદવિજ્ઞાનપરિણતિ દુર્લભ બને. તેવા જીવને રાગાદિથી કે વિકલ્પાદિથી કે કર્માદિથી ભેદજ્ઞાન થાય નહિ. દેહ-રાગ-દ્વેષ-વિકલ્પ વગેરેથી પોતાના ઉપયોગને છૂટો પાડ્યા વિના તો ગ્રંથિભેદ અત્યંત દુર્લભ જ બની જાય છે. પોતાના શુદ્ધ આત્મદ્રવ્યના સ્વભાવનો
યથાર્થ નિશ્ચય તો અશુદ્ધ નિશ્ચયનયથી પણ થતો નથી. તો પછી ઉપચારને જ ડગલે ને પગલે મુખ્ય સુ
કરનાર વ્યવહારનયથી તો તે સ્વભાવનો નિર્ણય ક્યાંથી થાય ? તથા બાલ, યુવાન આદિ પર્યાયોના લક્ષે આત્મજ્ઞાન પ્રગટ થતું નથી, અપરોક્ષ સ્વાનુભૂતિ થતી નથી જ. તેથી (૧) પોતાના શુદ્ધ આત્મદ્રવ્યના ]] યથાર્થ સ્વભાવની શ્રદ્ધા-રુચિ-જાણકારી મેળવવા માટે તથા (૨) ગ્રંથિભેદ પછીના સમયે થનાર તાત્ત્વિક અપરોક્ષ સ્વાનુભવ = આત્મસાક્ષાત્કાર માટે (૩) તેમજ તથાવિધ અશુદ્ધ વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના સ્ પ્રવાહનો ઉચ્છેદ કરવા માટે તેવા વ્યવહારની દૃષ્ટિ-શ્રદ્ધા-રુચિ છોડવી જ જોઈએ.
* બાલાદિ પર્યાયો શરીરના જ છે *
વૃદ્ધ
-
(.) પ્રસ્તુતમાં “મારું મરણ નથી તો ડર ક્યાંથી ? મને રોગ નથી તો વ્યથા ક્યાંથી ? હું બાલ નથી કે નથી કે યુવાન નથી. એ સર્વ અવસ્થાઓ તો પુદ્ગલની છે” – આ મુજબ દેવનંદીરચિત ઈષ્ટોપદેશની કારિકાના અર્થની વિભાવના કરવી. આ રીતે આપણી સંસારી દશાને સૂચવનારા પ્રસ્તુત વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું ઉન્મૂલન કરીને આપણી સિદ્ધ-બુદ્ધ-મુક્તદશાને દર્શાવનારા શુદ્ધદ્રવ્યગોચર વ્યંજનપર્યાયને અને અર્થપર્યાયને પ્રગટ કરવામાં જ આપણું તાત્ત્વિક કલ્યાણ સમાયેલું છે. તે પ્રવૃત્તિથી ધર્મબિંદુમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ દુર્લભ નથી - એ ખ્યાલમાં રાખવું. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ મોક્ષને દર્શાવતાં કહેલ છે કે ‘ત્યારે વિશુદ્ધ આત્મસ્વરૂપનો લાભ થાય છે. દુઃખની અત્યંતનિવૃત્તિ થાય છે. તે નિરુપમ સુખરૂપ છે.’ (૧૪/૬)