Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૪/ર
E
० वचनाऽर्थपर्यायविमर्शः ।
२१२१ अथैकस्मिन् वस्तुनि प्रवर्तमानाः शब्दरूपाः पर्यायाः = व्यञ्जनपर्यायाः, अर्थरूपाश्च अर्थपर्याया इत्यपि परिभाषान्तरमस्ति। तदुक्तं विशेषावश्यकभाष्यव्याख्यायां श्रीहेमचन्द्रसूरिभिरेव “वस्तुनो घटादेः मृन्मयत्व-पृथुबुध्नत्व-वृत्तत्व-कुण्डलायतग्रीवायुक्तत्वादयः अर्थरूपाः पर्यायाः = अर्थपर्याया अनन्ता भवन्ति। घट-कुट-कुम्भ-कलशादयः तु वचनरूपाः पर्यायाः = वचनपर्यायाः। तेऽपि अनन्ता भवन्ति” (वि.आ.भा.३१६ । 9..9૧૮) તિા. ____ अथवा कृत्स्नार्थप्रतिपादकशब्दा व्यञ्जनपर्यायाः, वस्त्वेकदेशवाचकशब्दा अर्थपर्यायाः इत्यपि । परिभाषान्तरमस्ति। तदुक्तं तैरेव तत्रैवाग्रे “ये शब्दाः किल सर्वं वस्तु सम्पूर्ण प्रतिपादयन्ति ते वचनरूपा वस्तुनः पर्याया वचनपर्याया उच्यन्ते। ये तु तदेकदेशमभिदधति तेऽर्थेकदेशप्रतिपादकाः पर्यायाः अर्थपर्याया , ઉચ્ચત્તે” (વિ..મ.રૂ૫૮ મત્ત.કૃ..9૧૩) તિા
यद्वा 'इदं काञ्चनमि'त्यादिरूपेण भाष्यमाणाः अर्थनामवाचका ये शब्दाः ते व्यञ्जनपर्यायाः, का काञ्चनाद्यर्थस्य भेदाः काञ्चनाद्यर्थस्वरूपा कटक-केयूर-कङ्कण-कुण्डल-कटिमेखला-कन्दुक-करभूषण
અર્થસ્વરૂપ અર્થપર્યાય, શબ્દસ્વરૂપ વ્યંજનપર્યાય જ (૩થે.) વ્યંજનપર્યાય અને અર્થપર્યાય અંગે એક નવી પરિભાષા પણ છે. શબ્દસ્વરૂપ પર્યાય તે વ્યંજનપર્યાય તથા અર્થસ્વરૂપ પર્યાય તે અર્થપર્યાય. આ પરિભાષાને અનુસરીને વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ઘટ વગેરે વસ્તુમાં રહેલ મૃન્મયત્વ (= મૃદુરૂપતા), પૃથુબુવ્વત્વ, ગોળ આકાર, કુંડલતુલ્ય દીર્ઘ ગ્રીવાયુક્તત્વ (કંઠયુક્તત્વ) વગેરે અર્થસ્વરૂપ પર્યાયો તે અર્થપર્યાય કહેવાય. તે અનન્તા હોય છે. તથા ઘટને વિશે પ્રવૃત્ત થતા ઘટ, કુટ, કુંભ, કળશ વગેરે શબ્દસ્વરૂપ પર્યાયો તે જ વચનપર્યાય (= વ્યંજનપર્યાય) કહેવાય. તે પણ પ્રત્યેક ઘટ વગેરે વસ્તુમાં અનંત છે.” આ નવી પરિભાષાને પણ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
# પૂર્ણઅર્થવાચક વ્યંજનપર્યાય, વસ્તુઅંશવાચક અર્થપર્યાય (અથવા) અથવા એમ પણ કહી શકાય કે સંપૂર્ણ અર્થના પ્રતિપાદક જે શબ્દો હોય તે વ્યંજનપર્યાય. તથા વસ્તુના એક અંશના વાચક જે શબ્દો હોય તે અર્થપર્યાય. મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જ સ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં આગળ જણાવેલ છે કે “જે શબ્દો વાસ્તવમાં સંપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન કરે તે શબ્દસ્વરૂપ એવા વસ્તુપર્યાયો વચનપર્યાય = વ્યંજનપર્યાય કહેવાય છે. તથા જે શબ્દો વસ્તુના એક અંશનું (= ભેદનું = પ્રકારનું) નિરૂપણ કરે તે પર્યાય અર્થપર્યાય કહેવાય છે.”
A અર્થનામવાચક વ્યંજનપર્યાય, અર્થભેદ અર્થપર્યાય - (દા.) અથવા તો એમ પણ કહી શકાય કે “આ સુવર્ણ છે? - ઈત્યાદિરૂપે વસ્તુના નામને જણાવનારા જે શબ્દો છે, તે વ્યંજનપર્યાય કહેવાય. તથા સુવર્ણ વગેરે વસ્તુની જે જે વિશેષ અવસ્થા છે, તે અર્થપર્યાય કહેવાય. જેમ કે સોનામાંથી જ કટક (કડું), કેયૂર (બાજુબંધ), કંકણ, કુંડલ, કંદોરો, દડો, હાથમાં પહેરવાની વીંટી, કાનના બુટિયા વગેરે જે જે વસ્તુઓ બને છે, તે તે સુવર્ણદ્રવ્યના અર્થપર્યાય કહેવાય. તે અર્થપર્યાયો સુવર્ણદ્રવ્યસ્વરૂપ જ હોય છે, તેનાથી ભિન્ન નહિ. આ બાબત નવા વિકલ્પને દેખાડતી