Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१४८
० अभिधान-प्रत्यय-व्यवहाराणां वस्तुसाधकत्वम् - १४/६ શ સત્ર થા – '“પુરિસમ પુરિસનદો *નમ્નાર્ડ મરાવળંતો
તસ ૩ વાતા પવમેયા(? નોયા) વહુવિજાપા* ” (સ..૧૩૨) ૧૪/૬ll प तदुक्तं सम्मतितर्के “पुरिसम्मि पुरिससद्दो जम्माई मरणकालपज्जन्तो। तस्स उ बालाइआ पज्जवजोया रा बहुविगप्पा ।।” (स.त.१/३२) इति । श्रीअभयदेवसूरिकृततद्वृत्तिलेशस्त्वेवम् – “अतीताऽनागत-वर्तमानाऽनन्तार्थ__व्यञ्जनपर्यायात्मके पुरुषवस्तुनि 'पुरुष' इति शब्दो यस्याऽसौ पुरुषशब्दः तद्वाच्याऽर्थः जन्मादिर्मरण(काल)- पर्यन्तः अभिन्न इत्यर्थः, 'पुरुष' इत्यभिन्नाऽभिधान-प्रत्यय-व्यवहारप्रवृत्तेः। तस्यैव बालादयः पर्याययोगाः = श परिणतिसम्बन्धाः बहुविकल्पाः = अनेकभेदाः प्रतिक्षणसूक्ष्मपरिणामान्तर्भूताः भवन्ति, तत्रैव तथाव्यतिरेकજ્ઞાનોત્પત્તઃ ............
જ સંમતિ વ્યાખ્યાકારમતપ્રદર્શન . (જુ.) સમ્મતિતર્ક પ્રકરણમાં આ બાબતને જણાવતા કહેલ છે કે “માણસમાં “માણસ” શબ્દ જન્મથી માંડીને મરણકાળ સુધી પ્રવર્તે છે. માણસના બાલ વગેરે પર્યાયોના સંબંધમાં અનેક ભેદો પડે છે.” વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે પ્રસ્તુત સંમતિતર્કવચનની વિસ્તારથી છણાવટ કરેલ છે. તે વ્યાખ્યાનો ઉપયોગી અંશ પ્રસ્તુતમાં જણાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે – “વિશ્વપ્રસિદ્ધ “માણસ' નામની વસ્તુ અતીત, અનાગત અને વર્તમાનકાલીન અનંત અર્થપર્યાયસ્વરૂપ અને અનંત વ્યંજનપર્યાયસ્વરૂપ છે. આ “માણસ” નામના પદાર્થમાં માણસ નામના શબ્દનો પ્રયોગ થાય છે. જન્મથી માંડીને મરણ સુધી માણસમાં “માણસ” શબ્દનો પ્રયોગ થાય છે. અર્થાત્ “માણસ” શબ્દથી ઓળખાતો પદાર્થ જન્મથી
માંડીને મરણ સુધી એક જ છે. જન્મથી માંડીને મરણ સુધી “માણસ” વસ્તુ એક જ હોવાનું કારણ જ એ છે કે જન્મથી માંડીને મરણ સુધી તેમાં “માણસ' એવો એક જ શબ્દ પ્રયોજાય છે. જન્મથી માંડીને
મરણ સુધી તેની માણસ તરીકે જ પ્રતીતિ થાય છે. તથા જન્મથી માંડીને મરણ સુધી તેમાં સર્વ લોકો
માણસ તરીકેનો જ વ્યવહાર કરે છે. આમ અતીત, અનાગત, વર્તમાનકાલીન અનંત અર્થપર્યાય સ્વરૂપ A અને અનંત વ્યંજનપર્યાય સ્વરૂપ માણસપદાર્થ એક જ છે, બદલાતો નથી, તેમાં તે ફ્લાઈને રહે છે
- એવું સિદ્ધ થાય છે. તે એક જ માણસમાં બાલ, તરુણ વગેરે વિવિધ પર્યાયપરિણતિઓનો કાલાંતરે સંબંધ થતો હોય છે. આ બાલાદિ પર્યાયના સંબંધો અનેકવિધ છે. માણસમાં (આત્મામાં) પ્રતિક્ષણ જે સૂક્ષ્મ પરિણામો ઉત્પન્ન થાય છે, તેમાં જ બાલાદિ પર્યાયના સંબંધનો અંતર્ભાવ થાય છે. કારણ કે તે જ માણસમાં તથાવિધ વ્યતિરેક જ્ઞાન = નિષેધાત્મક ભાન કાલાંતરમાં ઉત્પન્ન થાય છે.”
વિધેયાત્મક-નિષેધાત્મક પ્રતીતિની વિચારણા સ્પષ્ટતા :- જન્મથી માંડીને મરણ સુધી માણસને ઉદેશીને “આ માણસ છે', “આ માણસ છે”, “આ માણસ છે' ... આ પ્રમાણે અન્વયજ્ઞાન = અનુગત બુદ્ધિ = વિધેયાત્મક પ્રતીતિ સૌ કોઈને નિર્વિવાદ રૂપે થાય છે. આમ દીર્ઘ કાળ સુધી “માણસ” નામનો પદાર્થ સ્થાયી છે - તેવું સિદ્ધ થાય છે. પરંતુ જન્મથી માંડીને મરણ સુધી “આ બાળ છે', “આ બાળ છે”, “આ બાળ છે...'.. એવી અન્વયાત્મક બુદ્ધિ સૌને * * ચિહ્રદયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી. 1, પુરે પુરુષ બન્મરિબત્તિપર્યન્તઃ તસ્ય તુ વાતારિજા पर्याययोगा बहुविकल्पाः।।