Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩/૨૦ • असद्भूतव्यवहारोपदेशः ।
२०४५ इत्युक्तम् । एतदनुसारेण योगसारप्राभृते अमितगतिनाऽपि “सरागं जीवमाश्रित्य कर्मत्वं यान्ति पुद्गलाः । कर्माण्याश्रित्य जीवोऽपि सरागत्वं प्रपद्यते ।।” (यो.सा.प्रा.२/३१) इत्युक्तम् । यथोक्तं यशोविजयवाचकैरपि प अध्यात्मसारे “लोहं स्वक्रिययाऽभ्येति भ्रामकोपलसन्निधौ। यथा कर्म तथा चित्रं रक्त-द्विष्टात्मसन्निधौ ।।” (अ.सा.१८/११३) इति । गम्भीरबुद्ध्या भावनीयं तत्त्वमेतत् शुद्धनिश्चय-व्यवहारनयमतसमन्वयगोचरम् आगमानुसारेण आत्मार्थिबहुश्रुतैः।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – परस्परानुगतयोः जीव-शरीरयोः विभक्तत्वं मत्वा जीवन्मनुष्यदेहमुद्दिश्य ‘अयं जडः, एतत्कुट्टनेन नायं दुःखानुभवभाग भवेद्' इति भणनेन तत्कुट्टनं नैवौचित्यमञ्चति, जीव-पुद्गलानाम् अन्योऽन्याऽनुविद्धतया जीवन्मनुष्यदेहे चैतन्यस्वभावस्यापि १ सत्त्वादित्यसद्भूतव्यवहारनयो ज्ञापयति । अयमुपदेशः मृदुपरिणति-जीवदया-यतनादिप्रादुर्भावसहायकारी। णि तबलेन च आत्मार्थी अपवर्गमार्गे द्रुतमभिसर्पति। स्वानुभूतिकृते च 'शाश्वतशान्तस्वरूपः, सहजसमाधिमयः, परमनिष्कषायः, परमनिर्विकारः, अमूर्तः, अनन्ताऽऽनन्दभुक्, स्वयंप्रकाशमयः, જીવ પણ પુદ્ગલકર્મના નિમિત્તે (દેવ-મનુષ્યાદિ રૂપે) પરિણમે છે. તેને અનુસરીને દિગંબરાચાર્ય અમિતગતિએ પણ યોગસારપ્રાભૂતમાં જણાવેલ છે કે “રાગી જીવને આશ્રયીને પુદ્ગલો કર્યપણું પામે છે. તથા કર્મોને આશ્રયીને જીવ પણ રાગી બને છે.” મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે પણ અધ્યાત્મસારમાં દર્શાવેલ છે કે “જેમ લોહચુંબકની પાસે લોખંડ પોતાની જાતે જ સક્રિય બનીને આવે છે તેમ રાગી-દ્વેષી આત્માની પાસે વિચિત્ર કર્મો સ્વયમેવ આવી પડે છે. મતલબ કે કાર્મણવર્ગણાનું સંસારી નિમિત્તક વિવિધ કર્મસ્વરૂપે પરિણમન વાસ્તવિક જ છે. તથા સંસારી જીવની રાગાદિયુક્ત દશા પણ વાસ્તવિક જ છે. બાકી તો કાર્મણપુગલોનું કર્મરૂપે પરિણમન જ થઈ ન શકે. આ વ્યવહારનયનું મંતવ્ય છે. અહીં આત્માર્થી બહુશ્રુત પુરુષોએ ગંભીર બુદ્ધિથી, જિનાગમ મુજબ શુદ્ધ નિશ્ચય-વ્યવહારમતના શું સમન્વય અંગે વિભાવના કરવી.
અસદ્ભુત નય કોમળ પરિણતિને પ્રગટાવે છે. આધ્યાત્મિક ઉપનય :- પરસ્પર અનુગત જીવ અને શરીરને વિભક્ત માની જીવતા માણસના શરીરને ઉદ્દેશીને “આ તો જડ છે', “આને મારો તો આને કાંઈ દુઃખનો અનુભવ થવાનો નથી' - રસ આવું કહીને કોઈ માણસને માર-પીટ કરવી તે બિલકુલ વ્યાજબી નથી. કારણ કે જીવ અને દેહાદિપુદ્ગલો એકબીજામાં અનુગત હોવાથી જીવતા માણસના શરીરમાં ચૈતન્યસ્વભાવ પણ વિદ્યમાન છે. આ પ્રમાણે પ્રસ્તુત અસભૂત વ્યવહારનય જણાવે છે. અસભૂત વ્યવહારનયનો આ ઉપદેશ કોમળ પરિણતિ, જીવદયા, જયણા વગેરેને પ્રગટાવવામાં સહાયક છે. તથા તે મૃદુપરિણતિ વગેરેના બળથી આત્માર્થી સાધક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધે છે. તથા સ્વાનુભૂતિ કરવા માટે શુદ્ધ જીવને શરીર-ઈન્દ્રિયમન વગેરેથી જુદો પાડવો. તે માટે વારંવાર એવી ભાવના ભાવવી કે “હું કાયમ શાંત સ્વરૂપવાળો છું, સહજ સમાધિમય છું, પરમ નિષ્કષાય છું, પરમ નિર્વિકાર છું, અમૂર્ત છું, અનંત આનંદનું વેદન કરનાર છું, સ્વયંપ્રકાશમય છું, અતીન્દ્રિય છું, દેહશૂન્ય છું, અપીગલિક છું અને શુદ્ધ ચૈતન્યનો અખંડ