________________
પ્રતિમાજીમાં પ્રભુના ગુણોનું આરોપણ વધુ પૂજનીય રીતે થઈ શકે છે અને આવા પ્રતિમાજી, ધાતુના પ્રતિમાજીની અપેક્ષાએ, શ્રેષ્ઠતમ આલંબન બને છે. પ્રભુ-પૂજાના ફળનું વર્ણન કરતાં શાસ્ત્રકાર ફરમાવે છે કે શ્રી જિનબિંબને પ્રમાર્જન કરતી વેળાએ
સોગણું, વિલેપન કરતાં હજારગણું, પુષ્પની માળા ચઢાવતાં લાખગણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૯) આરસની પ્રતિમાજી (મુખમુદ્રા સહિત) હંમેશાં મનમોહક, શાન્તાકાર અને ચિત્તાકર્ષક હોય
છે અને પ્રતિમાજીના ચક્ષુમાં નર્યો નિર્મળ સ્નેહ સ્વચ્છપણે અને સ્પષ્ટપણે નિરખી શકાય છે. સંસારીનું મન અતિ ચંચળ હોઈ, પાષાણના પ્રતિમાજી મનને સુસ્થિર અને સુલીન કરવામાં
વધુ કારણભૂત બને છે. (૧૦) પાષાણ' શબ્દ બોલવાની સાથે તે શબ્દમાં રહેલ “કાઠિન્ય'-કઠણપણાનો બોધ થાય છે; અને
તે કઠણપણે આપણા કર્મ-સમૂહમાં ભારે નાસભાગ કરાવવામાં કારણભૂત છે. (૧૧) “નામતિ દ્રવ્યમા” – નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ – આ ચાર નિક્ષેપામાં પણ “આકૃતિ
એટલે સ્થાપનામાં પાષાણની પ્રતિમાજીનો અભિગમ તરી આવે છે. (૧૨) સર્વ અરિહંત પરમાત્માઓ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે; એટલે કે તેઓશ્રીના ચરમ
દેહના ચાર માપ એકસરખા હોય છે, સમાન હોય છે. આ માપનું સરખાપણું પણ પાષાણના
પ્રતિમાજીમાં વધુ શક્ય બને છે. (૧૩) જેમ સાધુ ભગવંતની વૈયાવચ્ચ કરવાની હોય છે, તેમ શ્રી અરિહંત તેમજ સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ
પણ કરવાની શાસ્ત્રમાં આલેખેલી છે, સમોવસરણમાં બેસવું તે શ્રી અરિહંત પરમાત્માની વૈયાવચ્ચ છે, તો મહાનિર્જરાની કારણભૂત શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ, તેઓશ્રીની અષ્ટ પ્રકારી પૂજા,
નવાંગી પૂજા વગેરે કરવાથી થાય છે. આ પણ વધુ ઉચિત આરસની પ્રતિમાજીમાં ઘટે છે. (૧૪) જિનાલયમાં જાળવવાની દસ-ત્રિક પૈકી અવસ્થા-ત્રિકમાં પ્રભુની ત્રણ પ્રકારની અવસ્થાનું
ચિંતન કરવાનું હોય છે. (૧) પિંડસ્થ (૨) પદસ્થ (૩) રૂપાતીત. પિંડસ્થ અવસ્થાના ત્રણ ભેદ : (૧) જન્માવસ્થા - અભિષેક, પ્રક્ષાલન, જંગલૂછણાં વગેરે. (૨) રાજ્યાવસ્થા - કેસર, ચંદન, ફૂલ, અલંકાર, આંગી વગેરે. (૩) શ્રમણાવસ્થા - કેશરહિત મસ્તક, પર્યકાસન, કાયોત્સર્ગ આસન વગેરે. પદસ્થ અવસ્થા - કેવળજ્ઞાનની પ્રાપ્તિથી માંડીને મોક્ષે ગયા ત્યાં સુધીની અવસ્થા ચિંતન. રૂપાતીત અવસ્થા - રૂપ વગરની સિદ્ધપણાની અવસ્થા.
આ ત્રણે અવસ્થાઓનું ચિંતન (અવસ્થા-ત્રિક) દ્વારા અખૂટ આત્મસ્નેહ અંજાય છે અને મનમાં મંગળની શુભ ભાવના છલકાય છે કે જે મોહનીય આદિ કર્મપ્રકૃતિઓનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ કરવામાં કારણભૂત બને છે. પ્રાતિહાર્ય આદિથી યુક્ત પાષાણની પ્રતિમાજીમાં પિંડસ્થ અવસ્થાનું ચિંતન વધુ સુગમ અને સુકર બને છે. જિનપ્રતિમા જિન સારિખી
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org