________________
છે. વસ્તુત: એ ઊલટીઓ દ્વારા શરીરનું વધારાનું પિત્ત બહાર નીકળી જતાં શારીરિક શાંતિ અનુભવાય છે. ઉપવાસ દરમિયાન માત્ર ઉકાળેલું પાણી પીવાથી પેટમાં રહેલ વધારાના મળનો નિકાલ થાય છે અને કૃમિ વગેરેને ખોરાક નહિ મળવાથી સ્વયમેવ બહાર નીકળી જાય છે; તથા કફ હોય તો તે પણ દૂર થઈ જાય છે. આમ વધારાનું પિત્ત અને વધારાનો કફ દૂર થતાં, વાત પિત્ત અને કફ ત્રણે સમ થાય છે, માટે ૧૫ દિવસમાં અથવા મહિનામાં ઓછામાં ઓછા એક ઉપવાસ કરવો જોઈએ અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ પાક્ષિક પ્રાયશ્ચિત્ત રૂપે એક ઉપવાસનું વિધાન કરેલ છે.
સામાન્ય રીતે શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જે સાધુ કે સાધ્વી નિરંતર અટ્ટમ કે તેથી વધુ તપશ્ચર્યા કરતા હોય તેવા સત્ત્વશાળી સંયમી મહાત્માઓનું શરીર દેવાધિષ્ઠિત થઈ જાય છે. અર્થાત્ તપ વગેરેમાં દૈવી સહાય મળે છે. પરંતુ સામાન્ય ગૃહસ્થ વગેરે પણ જ્યારે અાઈ, અગિયાર ઉપવાસ, ૧૫ ઉપવાસ, માસક્ષમણ (૩૦ ઉપવાસ) કે ૪૫ ઉપવાસ જેવી મહાન દીર્ઘકાલીન તપશ્ચર્યા કરે છે, ત્યારે મોટે ભાગે શારીરિક રીતે ક્ષીણ અને અશક્ત થઈ જાય છે. છતાં મનોબળ અને આત્મબળના આધારે તેઓ લાંબાકાળ સુધી આહાર વિના ચલાવી શકે છે. કેટલાક લોકો ૧૬-૧૬ દિવસના ચઉવિહાર એટલે કે પાણી વગરના પણ ઉપવાસ કરી શકે છે. અર્થાત્ ૧૬-૧૬ દિવસ સુધી આહાર અને પાણી બંનેનો સંપૂર્ણત્યાગ કરે છે. શરીરવિજ્ઞાન તથા આરોગ્ય વિજ્ઞાનના સામાન્ય જ્ઞાનવાળા લોકોને આમાં ખૂબ આશ્ચર્ય જણાય છે. પરંતુ આ વિશે વધુ વિચાર કરતાં લાગે છે કે આપણા શરીરને કોઈ પણ નવી પરિસ્થિતિને અનુકૂળ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે અને એ ત્રણ દિવસ દરમિયાન શરીર નવીન પરિસ્થિતિનો સામનો-પ્રતિકાર કરે છે અને એ ત્રણ દિવસ દરમિયાન શારીરિક અને માનસિક વ્યવસ્થાતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. પરંતુ એ પ્રતિકારને જ્યારે બહારથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી ત્યારે શરીર નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. આ સિદ્ધાંત પ્રમાણે આપણું શરીર સામાન્ય દિવસોમાં, દિવસ દરમિયાન લીધેલ આહાર અને પાણીમાંથી પોતાને આવશ્યક ગરમી અને શક્તિ મેળવી લે છે. પરંતુ શરીરમાં રહેલ ચરબી અને લૂકોઝ વગેરેનો તે ઉપયોગ કરતું નથી, કારણ કે આપણું શરીર એ પ્રમાણે જ ટેવાયેલું હોય છે. તેથી જયારે આપણે ઉપવાસ કે આયંબિલ વગરે તપશ્ચર્યા કરીએ છીએ ત્યારે આપણું શરીર રોજિંદાક્રમ પ્રમાણે બહારથી લેવાયેલ આહાર-પાણીમાંથી શક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ તે તો સદંતર બંધ હોવાથી શરીર અશક્તિ, ભૂખ વગેરે સ્વરૂપે નવીન પરિસ્થિતિનો પ્રતિકાર કરે છે. આના જવાબમાં આપણું મનોબળ મજબૂત ન હોય તો આપણે પારણું કરી લઈએ છીએ; અને જો આપણે પારણું ના કરીએ અને ઉપવાસ વગેરે તપશ્ચર્યા ચાલુ જ રાખીએ તો આપણું શરીર બહારથી ગરમી અને શક્તિ મેળવવાને બદલે શરીરમાં રહેલ ચરબી અને લૂકોઝ વગેરેમાંથી પોતાને આવશ્યક ગરમી અને શકિત મેળવતું થઈ જાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે. જેઓ ભારતમાંથી અમેરિકા અથવા તો અમેરિકામાંથી ભારતમાં આવે છે તેઓના શરીરની જૈવિક ઘડિયાળ-(biological clock)ને નવા પ્રદેશને અનુકૂળ થતા પણ ત્રણ દિવસ લાગે છે, જેને મેડિકલ પરિભાષામાં “જેટલેગ' શ્રુતસરિતા
૧૨૫
અનુષ્ઠાન ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org