Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 446
________________ અભાવનું નિમિત્ત કે કારણ ના બની જાય, તેની કાળજી રાખવી જોઈએ. ઉત્સર્ગ રુચિનો અભાવ દાખવી અપવાદનું આલંબન લેવું નહિ. આ ચારે પ્રકારના દોષો પ્રત્યે લક્ષ્ય આપી તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો. ભવ્યત્વ, ભવિતવ્યતા અને તથાભવ્યત્વમાં શું ફરક છે ? સમજાવો. પ્રશ્ન : ૪ ઉત્તર : ૪ (૧) ભવ્યત્વ : આત્માના પાંચ ભાવો છે-ઔયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપમિક, પારિણામિક, પારિણામિક ભાવોમાં જીવત્વ, ભવ્યત્વ (મુક્તિની યોગ્યતા) અભવ્યત્વ (મુક્તિની અયોગ્યતા) અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ગુણવત્ત્વ આદિ છે. દરેક જીવ ચૈતન્ય ગુણવાળો જ હોય છે અને ભવ્યત્વ કે અભવ્યત્વ પરિણામથી હોય છે. વ્યાખ્યા : જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા હોય તેને ભવ્યત્વ ગુણ કહે છે. ભવ્ય જીવોમાં મુક્તિપદને પામવાની યોગ્યતા હોય; પરંતુ બધા જ ભવ્ય જીવો મુક્તિપદને પામે જ તેવો નિયમ નથી. માટે સત્ય ક્થન આ રીતે બોલી શકાય કે મુક્તિપદને પામનારા બધા જ જીવો ભવ્ય હોય છે. મુક્તિપદને પામ્યા પછી પારિણામિક ભાવોમાંથી ફક્ત ભવ્યત્વનો જ નાશ થાય છે, બીજા ભાવોનો નહીં. (૨) ભવિતવ્યતા : કાર્યના કરનારા પાંચ કારણો (કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, પૂર્વકૃત કર્મ અને પુરૂષાર્થ) પૈકીનું આ એક કારણ છે. જેમ પૂર્વકૃત કર્મનો પર્યાયવાચી શબ્દ ‘પ્રારબ્ધ-ભાગ્ય-નસીબ' છે, તેમ ભવિતવ્યતાનો પર્યાયવાચી શબ્દ છે - નિયતિ (Destiny) આનો અર્થ એ છે કે જે થવાનું હોય તે બધું નિયત જ હોય છે, નક્કી જ હોય છે અને તે તેમ જ થાય છે. ક્રમસર થવાવાળા પર્યાયો બદ્ધ રીતે ગોઠવાયેલા જ છે, તેને ક્રમબદ્ધ પર્યાય કહે છે. દા.ત., શ્રી રામચંદ્રજીને રાજગાદીના બદલે તે જ સમયે પ્રાપ્ત થયેલ વનવાસ. બધું જ જો નક્કી છે, તો પુરુષાર્થ શા માટે કરવો ? તેનો ઉત્તર એ છે કે નિયતિ કે ભવિતવ્યતા જે તે કાર્યમાં પુરુષાર્થ વડે જ નિયત થયેલી હોય છે. દા.ત., દર અઠવાડિયે પગાર મળવાની નિયતિ પણ તે વીકના ૪૦ કલાક કામ કરવા વડે નિયત થયેલી હોય. કાર્યસિદ્ધિમાં કોઈ એકાદ કારણ પ્રમુખ હોઈ શકે; પરંતુ અન્ય ચાર કારણો ગૌણપણે પણ હતા જ, તેમ માનવું જોઈએ. (૩) તથાભવ્યત્વ : જીવની તે તે રીતે (ભવિતવ્યતાની રીતે) થવાની યોગ્યતા. જેમ જેમ જીવ મુક્તિપદની નજીક આવતો જાય (ભવની અપેક્ષાએ) તેમ તેમ તે જીવની પત્રાવલિ Jain Education International. 2010_03 ૪૨૧ For Private & Personal Use Only શ્રુતસરિતા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474