________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું
૩૭ એ ગદ્ધો આખરે ગજબ કરશે, તને અપયશ દઈને સંચરશે,
પછી તારું રક્ષણ કેણ કરશે? સખી, ૩ એ પરનર પિશાચ દુખદાઈ છે એ નકટાની ખેતી કમાઈ છે,
આંખ ફાટાની અતિ અદેખાઈ છે; સખી૪ એ નિર્લજજે જ્યાં ત્યાં આથડતા, કુત્તર સમ કુકર્મને કરતા,
નથી પાપ થકી તે કદી ડરતા, સખી૫ એ દુષ્ટો સતીઓને સંતાપ, તેના હઈડાને દુઃખ દઈ કાપે,
તેના નિર્મળ મનને દુઃખ આપે; સખી. ૬ મદન રેખા, દ્રૌપદી જાણે, મલયસુંદરી સી તે વખાણે,
એનાં ચરિત્ર તુમ હૃદયે આણે સખી. ૭ એવી અનેક સતીઓ જે શાણી, તેને લવલતી સ્વર તાણ,
એને દુઃખ દેતાં દયા ન આણુ, સખી. ૮ એ અધમ દિનરાતના અંધા, તેના કૂડા નિત્ય કરપીણ ધંધા,
છતાં માને અમે ગુણવાન બંદ; સખી૯ ભલે હોય પિતા કે ભાઈ, તેનો એકાંતવાસ છે દુઃખદાઈ
એમ નિશે જાણજે ચિત્ત લાઈફ સખી. ૧૦ તને હલકી કરશે નાત જાતમાં તારું નીચું મુખ રેશે વાતવાતમાં,
ગઈ આબરૂ ન આવે હાથમાં, સખી. ૧૧ એ ચાબખો ચિત્તમાં ધારી, પર પુરૂષની પ્રીતિને નિવારી,
એને ધિક્કાર વાર હજારી; સખી. ૧૨ શુદ્ધ શીયળ વ્રતને પાળી, ઉભય પક્ષના કુળ અજવાળી,
તમે પૂર્ણ બનેને ભાગ્યશાળી, સખી. ૧૩