________________
(૩)
(૧) સમ્યગદર્શનના પરિણામયુક્ત અર્થાત્ વિવેકી અંત
રાત્મા-જે ધ્યાન કરનારો આત્મા તે ધ્યાતા કહેવાય. આઠે કર્મોને જેમણે ક્ષય કર્યો છે, તે સિદ્ધ પરમાત્મા અથવા ઘાતીકમ જેમના ક્ષીણ થયા છે, તે અરિહંત પરમાત્મા દયાન કરવા ચોગ્ય ધ્યેય કહેવાય. અંતરાત્માની પરમાત્મામાં એકાગ્રતાની બુદ્ધિ અર્થાત તે સિવાય બીજો કોઈ વિચાર નહિં, જેમ ધનુર્ધર
જ્યારે નિશાન બરાબર તાકે ત્યારે પિતાના લક્ષ સિવાય તેને બીજા કશાનું ધ્યાન ન રહે, તેમ પિતાને એકાગ્રતાપૂર્વકનો ઉપયોગ પરમાત્મામાં જે તે દયાન કહેવાય.
સમાપત્તિનું સ્વરૂપ. આ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની જ્યારે એકતા થાય છે, ત્યારે તેને સમાપત્તિ કહેવાય છે. અર્થાત્ પિતાના સ્વચ્છ અંતરાત્મામાં તે વખતે પરમાત્મભાવનું પ્રતિબિંબ પડે છે. તે પ્રતિબિંબને સમાપત્તિ કહેવામાં આવે છે. તેમાં ઉપયોગથી અર્થાત ધ્યાનથી પરમાત્માની સાથે હાર્દિક સ્પર્શના થાય છે.
જેમ નિર્મળ આરિસામાં તેની સામે જે પદાર્થ મૂકવામાં આવે, તેવું જ પ્રતિબિબ તેનામાં પડે છે, તેમ જે આત્મામાંથી કમ્મલ અર્થાત્ ચિત્તમલ દૂર થાય છે, તે આત્મા સ્વચ્છ-નિમલ આરિસા જે બને છે અને તેમાં