________________
મારાથી ભિન્ન છે અને હું એનાથી ભિન્ન છું.
ચાર આગમ ગ્રંથોમાં “આવશ્યક-સૂત્ર’નું મુખ્ય સ્થાન છે. આ આવશ્યક સૂત્રના રચયિતા ગણધર ભગવંત છે. આવશ્યક સૂત્રોમાંનું એક સૂત્ર - ‘શ્રમણ સૂત્ર છે. તે સૂત્રની એક પંક્તિ છે – “વત્તિનાપુ નો સંપાદિ. આ ૩૨. પ્રકારના યોગ-સંગ્રહોના નિર્દેશમાં “ફUિT -સંવરનો ઈ ધ્યાનનો ૨૮મો યોગ સંગ્રહ છે.
ધ્યાન - સમાધિરૂપ યોગ-પ્રક્રિયાનો સૂચક છે. આ સૂત્ર પરની નિર્યુક્તિની રચના આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કરેલી છે. તેમાં ધ્યાન અને સમાધિના સંદર્ભમાં ‘યોગ શબ્દનો પ્રયોગ કરેલો છે -
निव्वाण साहए जोगे, जम्हा साहेति साहुणो । सम्मा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ।।१०१०।।
અર્થ : જેઓ નિર્વાણ-મોક્ષ, સાધક, સમ્યક્ દર્શન - જ્ઞાનાદિ યોગોની સાધના કરે છે અને જીવમાત્ર પ્રત્યે સમાનભાવ - આત્મતુલ્ય ભાવ ધારણ કરે છે, તે ભાવ સાધુ કહેવાય છે.
सुयनाणंमि वि जीवो, वर्सेतो सो न पाउणइ मोक्खं ।। जो तव संयममइए जोए न चएइ वोढं जे ।।९०।।
અર્થ : જે સાધક તપ-સંયમમય યોગમાં તત્પર બનતો નથી તે એકલા શ્રુતજ્ઞાનના આલંબનથી મોક્ષ પામી શકતો નથી અર્થાત્ શ્રુતજ્ઞાન સાથે તપસંયમરૂપ યોગસાધના કરે તો જ તે પોતાના પૂર્ણ-શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે.
અન્ય સૂત્રપાઠો - बाहिरजोगविरहिओ, आभिंतरझाण - जोगमलीणो । जह तम्मि देस-काले, अमूढसन्नो चयइ देहं ।।५५।।
અર્થ : બાહ્ય યોગ વ્યાપારથી રહિત અને અત્યંતર ધ્યાન -યોગમાં લીન બનેલો મુનિ તથા પ્રકારના દેશ અને કાળમાં આત્મ-જાગૃતિપૂર્વક પોતાના દેહનો ત્યાગ કરે છે.
જેન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન