________________
અનશન, ઉણોદરી (અવમૌદર્ય), વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન (સંલીનતા) અને કાયક્લેશ એમ છ પ્રકારનાં બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત - વિનય - વૈયાવૃત્ય - સ્વાધ્યાય - વ્યુત્સર્જ- ધ્યાનાત્યુત્તરમ્ IIo.૨૦।। તત્ત્વાર્થસૂત્ર (૪) મુક્તિનો અદ્વેષ : એટલે સર્વ કર્મનો ક્ષય કરી સચ્ચિદાનંદ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું. એવા મોક્ષના સ્વરૂપ પ્રત્યે અનાદર ન કરતાં પૂર્ણ શ્રદ્ધાથી મોક્ષ ત૨ફ પ્રવૃત્તિ કરવી.
જે ભવ્ય જીવો ચરમ પુદ્ગલપરાવર્તમાં રહેલા હોવાથી મુક્તિ અને એના કારણરૂપ સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ જે યોગ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે તેની ઉ૫૨ તેમજ તે માર્ગમાં એટલે જ મુક્તિમાર્ગમાં ચાલનારા લોકો પ્રત્યે દ્વેષથી રહિત છે તે ભવ્યજીવો દેવ-ગુરુનું સેવા-પૂજન વિધિપૂર્વક કરતા હોય, ધર્મની આરાધના કરતા હોય તે જ પૂર્વસેવા યોગ કહેવાય. પૂર્વસેવામાં ગુરુ વગેરેના પૂજનરૂપ દ્રવ્યક્રિયાથી જે લાભ નથી થતો તે મિથ્યાત્વાદિરૂપ સંસારના નિવૃત્તિરૂપ મુક્તિના અદ્વેષથી થાય છે. આવી રીતે પૂજન અને મુક્તિ-અદ્વેષ આ બેમાં મુક્તિ-અદ્વેષની મહત્તા બતાવી છે.
ચ૨માવર્તી જીવ મુક્તિનો અદ્વેષી અથવા અનુરાગી છે. એનામાં પ્રબલ યોગની યોગ્યતા પ્રગટી છે. શાસ્ત્ર આજ્ઞા રુચિ થઈ છે. મિથ્યાત્વાદિ અતિ મંદ થયા છે. માર્ગાનુસારિતા પણ થઈ છે. એથી જ ગાઢ મિથ્યાત્વયુક્ત અચ૨માવર્ત કાળમાં જે અનુષ્ઠાન થાય છે એનાથી ચ૨માવર્તી જીવનાં દેવપૂજા, ગુરુભક્તિ, દાન, તપ, જપ વગેરે સનુષ્ઠાનો વિલક્ષણ હોય છે. ઉત્તમ હોય છે. તે તહેતુ અથવા અમૃત અનુષ્ઠાન સ્વરૂપે જ સંભવે છે.
તદ્ભુતુ અનુષ્ઠાન : તદ્ હેતુ - તેનો હેતુ - સદ્ અનુષ્ઠાનનો હેતુ બને તેવી આરાધનાને તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. શાસ્ત્રકારોએ ચ૨માવર્ત કાળમાં મોટા ભાગે તન્હેતુ અનુષ્ઠાન કહેલ.
અમૃત અનુષ્ઠાન ઃ જિનેશ્વર ભગવંતે બતાવેલ મોક્ષમાર્ગને વિશે આ જ તત્ત્વ છે. આ જ ૫૨માર્થ છે. આવી અધ્યવસાયધારાસ્વરૂપ ઝળહળતી શ્રદ્ધાથી
પર
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની