________________
આત્માદિનું જ્ઞાન અને સર્વજ્ઞતા આદિની પ્રાપ્તિ એ યોગનું મહાભ્ય છે. એમ આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગબિંદુ આ ગ્રંથમાં જણાવે છે. આ રીતે યોગ મોક્ષનો માર્ગ બને છે.
આવી રીતે આત્મા-કર્મ આદિની પ્રતીતિનું યોગ જ કારણ છે. બીજું કોઈ કારણ નથી. કારણ કે યોગથી નિશ્ચિત જ તત્ત્વસિદ્ધિ થાય છે. તે અન્ય કોઈ વાદપ્રતિવાદથી થઈ શકતી નથી. વાદ-વિવાદથી પરમાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. અપ્રમાદ આત્માઓને મોક્ષના સાચા માર્ગમાં ગમન કરવા માટે અધ્યાત્મયોગ જ એકમાત્ર ઉપાય છે. અધ્યાત્મ એટલે આત્મામાં રહેલા ગુણોનો વિકાસ કરવો. તેનાથી જ આત્માને તત્ત્વ એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ અને એનાં લક્ષણોનો અનુભવ થાય. આત્માને કર્મબંધથી છૂટવાનો ઉપાય વિચારાય. અધ્યાત્મભાવની વિચારણા કરવાથી કષાયની ઉપશાંતિ થાય છે, તેથી દેવ, ગુરુ, ધર્મ, જીવાજીવ વગેરે તત્ત્વની યથાર્થ પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે. તત્ત્વની યથાર્થ પ્રતીતિથી જાગતો અધ્યાત્મભાવ એ જ મોક્ષનો સઉપાય છે. એ સિવાયના સર્વ ઉપાયો અસત્ય છે.
સંસારમાં રહેલા જીવો માટે અધ્યાત્મ પણ અતિશય દુર્લભ છે. જે ભવ્ય જીવ ચરમ(છેલ્લા) પુદ્ગલ પરાવર્તમાં આવ્યો હોય, અને શુક્લપાક્ષિક તેમજ આત્મા ગ્રંથિભેદ કરનારો તેમજ ચારિત્ર પાળનારો હોય તેને જ અધ્યાત્મ પ્રાપ્ત થાય છે.
ચરમ એટલે છેલ્લા પુગલ પરાવર્તમાં વર્તતો જીવ શુક્લપાક્ષિક કહેવાય છે. ગ્રંથી ભેદ કરી, સમ્યકત્વને પામેલ હોય, શ્રાવકના બાર વ્રતને ધારણ કરતા હોય, સર્વ પાપમય સાવદ્ય વ્યાપારનો સર્વ પ્રકારથી ત્યાગ કરીને પાંચ મહાવ્રત ધરતા હોય તે શુક્લપાક્ષિક છે.
જૈન દર્શનમાં મોક્ષમાર્ગ માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયી બતાવી છે. સીન - જ્ઞાન - ચારિત્રાUિT મોક્ષમાર્યા.તત્ત્વાર્થસૂત્ર એમાં ચારિત્ર મહત્ત્વનું છે. “પ્રવચનસાર” તેમજ “આચારાંગમાં પણ કહ્યું છે – ‘સાયારો પ્રથમ ” આપણા આપ્ત પુરુષોએ મોક્ષની પ્રાપ્તિ માટે જે યોગમાર્ગ બતાવ્યો છે કે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની