________________
દૃઢ યત્નપૂર્વક પ્રયત્ન ચાલુ હોય તે મંદ પડી જાય અને વિવક્ષિત પ્રવૃત્તિ ન કરું એવો નિષેધાભાવ.
અથવા કરું કે ન કરું એવો દ્વિધાભાવ જેના કારણે આવે એ વિન છે. અને આવી વિજ્ઞભૂત પરિસ્થિતિ સર્જાવા છતા ચિત્તની વિકલતા ન થવા દે એવું ચિત્તપરિણામ એ વિધ્વજય છે.
ચિત્તની વિકલતા કરનારી ત્રણ બાબતો છે. માનસિક ભ્રમણાઓસ્વરૂપ આધિ, વ્યાધિ અને ઉપાધિ. કોઈ પણ પ્રવૃત્તિમાં સ્કૂલના લાવનારાં આ ત્રણ પરિબળો છે. દિમોહ એ ચિત્તમાં નિર્માણ થયેલી વિષમતા છે. માટે એ આધિરૂપ છે. જ્વરાદિ રોગ એ શરીરમાં પેદા થયેલ પ્રતિકૂળતા છે માટે વ્યાધિ છે. કાંટા-કાંકરા વગેરે શારીરિક કે માનસિક પરિબળો નથી પણ બાહ્ય પરિબળ છે માટે ઉપાધિ છે. આ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ વિન ત્રણ પ્રકારનાં છે - જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એટલે વિધ્વજય આશય એક સ્વરૂપવાળો હોવા છતા આ ત્રણ પ્રકારનાં વિધ્વને જીતવાં એ ત્રણ પ્રકારનો છે.
(૧) જઘન્ય હીન વિનજય આશય : મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલ સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરીષહો આવે તે કંટક સમાન જઘન્ય વિજ્ઞજય આશય છે. તે સાધકની સાધનાની ગતિને સ્તુલિત કરે છે. જેમ કંટકને દૂર કરવામાં આવે તો માર્ગમાં જનાર પુરુષ નિરાકુલ રીતે તે માર્ગથી જઈ શકે છે તેમ જે સાધક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયો છે તે તિતિક્ષાભાવનાથી આ કંટકરૂપી શીત-ઉષ્ણ પરીષહોને દૂર કરી નિરાકુલ રીતે પોતાની પ્રવૃત્તિ કરે છે તે જઘન્ય વિજ્ઞજય છે. અહીં તિતિક્ષાભાવના એટલે શીતાદિ પરીષહો મારાથી ભિન્ન એવા શરીરને બાધા પહોંચાડે છે. પણ હું શરીરથી ભિન્ન છું. મને પરમાર્થથી શરીર સાથે કોઈ સંબંધ નથી-આ પ્રમાણે વિચાર કરી વારંવાર ચિત્તમાં આ ભાવના કેળવે એ તિતિક્ષાભાવના છે. પ્રણિધાન આશયમાં તિતિક્ષાભાવના પ્રારંભિક કક્ષાની હોય છે, પ્રવૃત્તિ આશયમાં આ ભાવના વધારે દૃઢ થતી જાય છે જેનાથી ત્રીજા વિજ્ઞજય આશયમાં જઘન્ય વિઘ્નનો જય કરી શકે છે.
(૨) મધ્ય વિધ્વજય આશય : માર્ગમાં જનાર વ્યક્તિને વર આવે તો તે નિરાકુલ રીતે ગમન કરી શકતો નથી. તેથી કંટક વિજ્ઞથી અધિક વર વિજ્ઞ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની