Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 285
________________ જે શુદ્ધ સ્વરૂપી છે એનો જ્યારે યોગ થશે ત્યારે તે મોક્ષમાર્ગમાં આગળ વધશે. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ સે દુગસે મિલકે, ૨સ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જિવહી ।।૭।। જેની અંતરંગઢષ્ટિ ખૂલી છે તેને એના જ્ઞાનચક્ષુથી સર્વત્ર પરમાત્મતત્ત્વ દેખાય છે. અને એ સ્વસ્વરૂપમાં રમણતા કરતાં શુદ્ધ સહજાત્મા એવા નિરંજન દેવનો રસ અર્થાત્ આનંદ અનુભવે છે. એવા શુદ્ધાત્માનુભૂતિરૂપ યોગને પામેલો યોગી યુગોયુગ એટલે અનંતકાળ સુધી મોક્ષરૂપ અજરામ૨ પદ પ્રાપ્ત કરે છે. તે પદમાં અનંતકાળ સ્થિતિ કરી રહે છે. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. શ્રીમદ્ રાજચંદ્રની આ અંતિમ રચના છે. અહીં શ્રીમદ્ રાજચંદ્ર, જેઓએ પોતાની બાહ્ય પરિણતિ ટાળીને જેમની અંતર પરિણતિ અંતરવૃત્તિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ છે એવા યોગીઓની ઇચ્છા બતાવે છે. એવા મુમુક્ષુ યોગી મહાત્માઓ નિરંતર અનંત સુખસ્વરૂપ મોક્ષપદને ઇચ્છે છે. તે પદ શુદ્ધ આત્મપદરૂપ સિદ્ધપદ છે. આઠે કર્મ ક્ષય થઈ, દેહાદિથી મુક્ત થઈ અયોગી વિદેહમુક્ત એટલે એ સંપૂર્ણ શુદ્ધ આત્માનું સહજાત્મસ્વરૂપ પદ છે. તે પદ સયોગી સ્વરૂપે એટલે દેહધારી, જીવનમુક્ત, ચા૨ ઘાતીકર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટકધારી એવા અરિહંત જિન પ૨માત્મા રૂપે છે. જેવું જિનેશ્વર ભગવાનનું અનંત જ્ઞાનાદિ એશ્વર્યયુક્ત શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ આ પદ છે તેવું જ આ જીવનું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મારૂપ છે અને આ આત્માના સ્વરૂપમાં ભેદ નથી. વર્તમાનમાં જિનેશ્વર ભગવાનનું આ પરમાત્મપદ વ્યક્ત પ્રગટ છે જ્યારે આ જીવનું, આત્માનું એ કર્મોથી આવરિત છે. પરંતુ તે કર્મ ટળી શકવાયોગ્ય છે અને પોતાનું પરમાત્મપદ જિન ભગવાનની માફક પ્રગટ, વ્યક્ત પ્રકાશિત થવાયોગ્ય છે. એના માટે જિનેશ્વર ભગવંત, ગણધર, આચાર્યોએ જે બોધ આપ્યો છે તે સદ્ગુરુનું અવલંબન લઈ, સદ્ગુરુની કૃપાથી જિન ભગવાનનો અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૫૬

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347