________________
અને સમાધિ જે સંપ્રજ્ઞાત યોગનાં અંતરંગ સાધન છે અને અસંપ્રજ્ઞાત યોગના બહિરંગ સાધન છે. અસંપ્રજ્ઞાતયોગ એ જ નિર્ભુજ સમાધિ છે, એને જ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે.
જેનયોગમાં ધ્યાનનું વિશિષ્ટ સ્થાન છે. મોક્ષપ્રાપ્તિ થવી એ ધ્યાન વિના સંભવ નથી. પાતંજલ યોગદર્શનનું છછું અંગ ધારણા; અને અંતિમ ‘સમાધિ એ
ધ્યાનમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. જૈનદર્શનમાં સમાધિને પણ ધ્યાનરૂપ જ માનેલું છે. ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાધિ છે. મોક્ષપ્રાપ્તિ માટે બે શુભધ્યાન છે - ધર્મધ્યાન અને શુક્લધ્યાન. ધર્મધ્યાનના ભેદ છે – આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય. એવી જ રીતે ‘યોગશાસ્ત્ર’ અને ‘જ્ઞાનાવમાં ધર્મધ્યાનના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ભેદ પણ બતાવ્યા છે. પિંડસ્થ ધ્યાનમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ એમ પાંચ પ્રકારની ધારણાઓ હોય છે. ધર્મધ્યાનથી નિર્જરા થાય છે. અને પરંપરાએ શુક્લધ્યાન પ્રાપ્ત થઈ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત થાય છે. શુક્લધ્યાનના ચાર ભેદ કહ્યા છે – પૃથકત્વવિતર્ક સવિચાર, એક–વિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને વ્યુપરત ક્રિયાનિવૃત્તિ. પ્રથમના બે ભેદ - પૃથકત્વવિતર્ક સવિચાર અને એકત્વવિતર્કઅવિચાર એ પાતંજલ યોગ સંમત સંપ્રજ્ઞાત સમાધિના સદશ છે. કારણ કે સંપ્રજ્ઞાત યોગ આલંબનના બળથી થાય છે અને પ્રથમના બે શુક્લધ્યાન શ્રુતના આલંબનપૂર્વક હોય છે. શુક્લધ્યાનના પછીના બે ભેદ – સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ અને સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ એ અસંપ્રજ્ઞાત સમાધિના સદશ બતાવેલા છે. અસંપ્રજ્ઞાત સમાધિ એ ધ્યેયરૂપ આલંબન વિનાની નિર્બીજ સમાધિ છે. શુક્લધ્યાનના આ છેલ્લા બે ધ્યાન સર્વ આલંબનરહિત હોય છે અને એ સર્વ દોષરહિત જેને નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું છે એને હોય છે.
પતંજલિ ઋષિ યોગદર્શનમાં યોગનું લક્ષણ કહે છે - યોfશ્ચત્તવૃત્તિનિરોધઃ ાિ.૨ાા પાતંજલ યોગદર્શન અર્થ : ચિત્તવૃત્તિનો વિરોધ કરવો તે યોગ કહેવાય છે. ચિત્તમાં પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ આ પાંચ પ્રકારની
૨૮૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની