________________
સમ્યગૂ પ્રકારે દેવ ગુરુધર્મની શ્રદ્ધા, ચારિત્ર તથા જ્ઞાનનો અભ્યાસ સત્વગુરુના સાન્નિધ્યમાં કરવાથી પ્રકાશાવરણનો ક્ષય થાય છે. આચાર્ય હેમચંદ્ર અને આચાર્ય શુભચંદ્ર પ્રાણાયામને મોક્ષના સાધન તરીકે નિષેધ કરે છે પરંતુ ધ્યાનની સિદ્ધિ અને મનની એકાગ્રતા થવા માટે એની આવશ્યકતા બતાવી છે.
પ્રત્યાહાર’ જૈનદર્શનમાં પ્રતિસલીનતા’ તપની સમકક્ષ છે. બેઉ પરંપરામાં ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિઓનો નિરોધ કરી એને અંતર્મુખ કરવાનું કહ્યું છે. પતંજલિ મુનિ યોગદર્શનમાં પ્રત્યાહાર કોને કહેવાય તે સમજાવતાં કહે છે –:
स्वविषया सम्प्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः
પાર.૧૪. પાતંજલ યોગદર્શન અર્થ : પોતાના ચિત્તને પાંચ ઇન્દ્રિયોના વિષયથી પાછું ખેંચવું અને મનના સંકલ્પ-વિકલ્પથી મનને પાછુ વાળીને આત્મસ્વરૂપમાં અનુકૂળ કરવું તેને પ્રત્યાહાર કહેવાય છે. જ્યારે આચાર્ય હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં પ્રત્યાહારનું સ્વરૂપ કહે છે -
इंद्रियैः सममाकृष्य विषयेभ्यः प्रशांतधीः । धर्मध्यानकृते पश्चान्मनः कुर्वीतनिश्चलम् ।।६.६।।
અર્થ : ઇન્દ્રિયો સહિત મન વિષયોથી ખેંચી લઈ ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરવું.
અર્થાત્ પ્રત્યાહારમાં શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ વગેરેને ગ્રહણ કરી મનને વ્યાકુળ બનાવનારી જે ઇન્દ્રિયો છે તેમાંથી અર્થાત્ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વાળી મનને સંકલ્પ-વિકલ્પથી દૂર કરીને આત્મસ્વરૂપમાં સ્થિર કરવા તૈયાર કરાય છે.
આવી રીતે પ્રત્યાહાર આ યોગનું અંગ સિદ્ધ થયા પછી યોગનું છઠ્ઠું અંગ ધારણા આવે છે. પ્રત્યાહારથી ચિત્તને ઇન્દ્રિયોના પાંચ વિષયમાંથી ખેંચી મનને એક સ્થળે કરવું એ ધારણા છે.
હેરાવળ્યશ્ચિત્ત) ઘા૨UTI Tરૂ.૨ાા પાતંજલ યોગદર્શન
૨૮૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની