Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 283
________________ એટલે જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત ક૨વી. જેમાં ૫૨મસુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો ને દુ:ખનો ક્ષય છે.’ આવા અનંત શોક અને અનંત દુ:ખની નિવૃત્તિ માટે સાંસારિક વિષયોમાંથી રુચિ ઓછી કરવી જરૂરી છે. એના માટે વૈરાગ્ય જળની આવશ્યકતા છે જે ૧૨ ભાવનાઓના માધ્યમે જૈન દર્શનમાં સમજાવી છે. શ્રીમદ્ રાજચન્દ્રે ‘ભાવનાબોધ’ પુસ્તકમાં આના વિશે વિસ્તૃત સમજણ આપી છે. સંક્ષેપમાં આ બાર ભાવનાઓ નીચે પ્રમાણે સમજાવી છે. (૧) અનિત્ય ભાવના – શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. એમ ચિંતવવું. - (૨) અશરણ ભાવના – સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભધર્મનું જ શરણ સત્ય છે. એમ ચિંતવવું. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું એમ ચિંતવવું. (૪) એકત્વભાવના - આ મારો આત્મા એકલો છે. તે એકલો આવ્યો છે. એકલો જશે. પોતાના કરેલાં કર્મ એકલો ભોગવશે. એમ ચિંતવવું. (૫) અન્યત્વ ભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું. (૬) અશુચિ ભાવના - આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે. રોગજરાને રહેવાનું ધામ છે. એ શરીરથી હું ન્યારો છું. એમ ચિંતવવું. (૭) આસ્રવ ભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આસ્રવ છે. એમ ચિંતવવું. (૩) સંસાર ભાવના - (૮) સંવર ભાવના - જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં. એવી ચિંતવના કરવી. (૯) નિર્જરા ભાવના - જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના - લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું. ૨૫૪ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347