Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 310
________________ કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણ કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દેહ અને દેવાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. પુગલમાં રક્તમાનપણું એ મિથ્યાત્વભાવ છે. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય છે. જ્યારે પાતંજલ યોગસૂત્રમાં અવિદ્યાનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજાવેલું છે. જે વસ્તુ જેવી નથી તેમાં તેવી બુદ્ધિ કરવી તે અવિદ્યા કહેવાય છે. અનિત્ય વસ્તુઓમાં નિત્યપણાની બુદ્ધિ રાખવી, અપવિત્ર પદાર્થોમાં પવિત્રપણાની બુદ્ધિ રાખવી, દુઃખરૂપ વસ્તુઓમાં સુખરૂપતાની બુદ્ધિ રાખવી અને જડ વસ્તુઓમાં ચેતનતાની બુદ્ધિ રાખવી એ અવિદ્યા છે. આ મિથ્યાજ્ઞાનરૂપ અવિદ્યાનો વિવેકખ્યાતિરૂપ વિદ્યા વડે વિનાશ થાય છે તે જ કેવલ્ય છે. तद्भावात्संयोगाभावो हानं तद् द्दशेः कैवल्यम् ।।२.२५।। સમ્યગ્વારિત્ર જૈન મોક્ષમાર્ગનું પ્રમુખ સાધન છે. “અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે ચારિત્ર. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગોએ કહ્યું છે.” પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગ યોગના અંતર્ગત સર્વપ્રથમ યમ-નિયમને ચારિત્રનિર્માણના સાધનના રૂપમાં પ્રસ્તુત કરીને આચારચારિત્રને મહત્ત્વ આપ્યું છે. “યમ” એ પાતંજલિ અષ્ટાંગ યોગનું પ્રથમ સોપાન છે. યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ વ્રતોનો સમાવેશ કરેલો છે. ‘યોગશાસ્ત્ર ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રએ પાતંજલ યોગસૂત્રમાં વર્ણિત યમ-નિયમોને ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ કહ્યા છે. ચારિત્રની દઢતા માટે જૈન દર્શનમાં વ્રત, સમિતિ, ગુપ્તિ બતાવ્યાં છે. પાતંજલ યોગદર્શનમાં જે પાંચ યમ બતાવ્યા છે એ જ પાંચ વ્રત જૈન દર્શનમાં મૂળભૂત વ્રત છે. જે સાધુ માટે મહાવ્રત અને ગૃહસ્થ માટે અણુવ્રત તરીકે દર્શાવ્યા છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં વતની વ્યાખ્યા આપી અણુવ્રત અને મહાવ્રત કોને કહેવાય તે દર્શાવ્યું છે – હિંસા - તૃતિ - તેય - ડબ્રહ્મ -પરિપ્રખ્ય વિરતિદ્ગતમ્ II૭.શા તત્વાર્થસૂત્ર અર્થ : હિંસા, અમૃત (અસત્ય), સ્તેય (ચોરી), અબ્રહ્મ અને પરિગ્રહ એ જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ ૨૮૧

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347