Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 311
________________ પાંચ પાપોને જાણીને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાથી એ પાંચ પાપોથી અટકવું એ વ્રત. આ પાંચ વ્રતના બે ભેદો - તેરા - સર્વતોડr - પતી II૭.૨ા તત્ત્વાર્થસૂત્ર અર્થ : હિંસાદિ પાપોથી દેશથી (આંશિક) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા નિવૃત્તિ તે મહાવ્રત છે. આ પાંચ વ્રતનું પાલન કરવાથી જે જે ફળ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ યોગસૂત્રમાં કર્યું છે. દા.ત. જે વ્યક્તિના અંત:કરણમાં અહિંસાવૃત્તિ દઢ થાય છે તેના સાનિધ્યમાં હિંસક સ્વભાવવાળાં પ્રાણી પણ પોતાની વેરવૃત્તિનો ત્યાગ કરી શાંતભાવ ધારણ કરે છે. આ યોગદર્શનનું દૃષ્ટાંત તીર્થકર મહાવીરના જીવનમાં પણ જોવા મળે છે. મહાવીરને ચંડકૌશિક નામના વિષધરે ડંખ માર્યો ત્યારે તેમણે તેના પર મૈત્રીભાવનાનો પ્રયોગ કર્યો હતો. 6 “નિયમ” એ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું સોપાન છે. તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ પાંચ નિયમોનો સમાવેશ છે. જૈન પરંપરામાં નિયમોના અંતર્ગત સ્વના અનુશાસન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલની મર્યાદા સહિત ગુણવ્રત અને શિક્ષાવ્રત આપેલાં છે જે ગૃહસ્થ ધર્મ માટે અણુવ્રતની સુરક્ષા અને વિકાસ માટે છે. તત્ત્વાર્થસૂત્રમાં નીચેનાં ગુણવ્રત અને શિક્ષાવ્રતનો નિર્દેશ કરેલો છે दिग् - देशा - ऽनर्थदण्डविरति - सामायिक - पौषधोपवासोपभोग - परिभोगपरिमाणाऽतिथिसंविभागवतसंपन्नश्च ।।७.१६ ।। તત્ત્વાર્થસૂત્ર અર્થ : આગારી વતીને (પાંચ અણુવ્રતો ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ-પરિભોગ પરિમાણ અને અતિથિ-સંવિભાગ એ સાત વતો હોય છે. અષ્ટાંગ યોગના નિયમમાં ચોથો નિયમ જે તપ છે એનો ક્રિયાયોગમાં સમાવેશ કરાયેલો છે. તપ: સ્વાધ્યાયેશ્વર પ્રUિTધાનાનિક્રિયાયો: In૨.૨ાા પા. યોગદર્શન એનું પ્રયોજન ક્લેશોને નબળા પાડવા અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા ૨૮૨ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347