SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાપોને જાણીને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાથી એ પાંચ પાપોથી અટકવું એ વ્રત. આ પાંચ વ્રતના બે ભેદો - તેરા - સર્વતોડr - પતી II૭.૨ા તત્ત્વાર્થસૂત્ર અર્થ : હિંસાદિ પાપોથી દેશથી (આંશિક) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા નિવૃત્તિ તે મહાવ્રત છે. આ પાંચ વ્રતનું પાલન કરવાથી જે જે ફળ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ યોગસૂત્રમાં કર્યું છે. દા.ત. જે વ્યક્તિના અંત:કરણમાં અહિંસાવૃત્તિ દઢ થાય છે તેના સાનિધ્યમાં હિંસક સ્વભાવવાળાં પ્રાણી પણ પોતાની વેરવૃત્તિનો ત્યાગ કરી શાંતભાવ ધારણ કરે છે. આ યોગદર્શનનું દૃષ્ટાંત તીર્થકર મહાવીરના જીવનમાં પણ જોવા મળે છે. મહાવીરને ચંડકૌશિક નામના વિષધરે ડંખ માર્યો ત્યારે તેમણે તેના પર મૈત્રીભાવનાનો પ્રયોગ કર્યો હતો. 6 “નિયમ” એ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું સોપાન છે. તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ પાંચ નિયમોનો સમાવેશ છે. જૈન પરંપરામાં નિયમોના અંતર્ગત સ્વના અનુશાસન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલની મર્યાદા સહિત ગુણવ્રત અને શિક્ષાવ્રત આપેલાં છે જે ગૃહસ્થ ધર્મ માટે અણુવ્રતની સુરક્ષા અને વિકાસ માટે છે. તત્ત્વાર્થસૂત્રમાં નીચેનાં ગુણવ્રત અને શિક્ષાવ્રતનો નિર્દેશ કરેલો છે दिग् - देशा - ऽनर्थदण्डविरति - सामायिक - पौषधोपवासोपभोग - परिभोगपरिमाणाऽतिथिसंविभागवतसंपन्नश्च ।।७.१६ ।। તત્ત્વાર્થસૂત્ર અર્થ : આગારી વતીને (પાંચ અણુવ્રતો ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ-પરિભોગ પરિમાણ અને અતિથિ-સંવિભાગ એ સાત વતો હોય છે. અષ્ટાંગ યોગના નિયમમાં ચોથો નિયમ જે તપ છે એનો ક્રિયાયોગમાં સમાવેશ કરાયેલો છે. તપ: સ્વાધ્યાયેશ્વર પ્રUિTધાનાનિક્રિયાયો: In૨.૨ાા પા. યોગદર્શન એનું પ્રયોજન ક્લેશોને નબળા પાડવા અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા ૨૮૨ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy