SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ માટે છે. જૈનદર્શનમાં તપ બે પ્રકારે છે – બાહ્ય તપ અને અત્યંતર તપ. એના પાછા છ-છ ભેદો છે. બાહ્ય તપના છ ભેદો – अनशना - ऽवमौदर्य - वृत्तिपरिसंख्यान - रसपरित्याग - વિવિવરીવ્હીસન - વાવેવત્તેરા બાદ તf: T૬.૨૨ાા તત્વાર્થસૂત્ર અર્થ : અનશન, અવમોદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શયાસન અને કાયક્લેશ એમ છ પ્રકારનાં બાહ્ય તપ છે. અત્યંતર તપના છ ભેદો - પ્રાયશ્ચિત - વિનય - વૈયાવૃત્ય - સ્વાધ્યાય - વ્યુત્ય - સ્થાનીતુરF I૧.૨૦ | તત્ત્વાર્થસૂત્ર અર્થ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકારનાં અત્યંતર તપ છે. અષ્ટાંગ યોગના બીજા ચરણ નિયમ'માં પાંચમો નિયમ ઈશ્વરપરિધાન છે. પાતંજલ દર્શનના વિદ્વાનો ઈશ્વરના અનુગ્રહથી યોગની પ્રાપ્તિ અને સ્થિરતાસ્વરૂપ સિદ્ધિ થાય છે એમ કહે છે. આ ઈશ્વર એટલે (યોગસૂત્રમાં) યોગદર્શનમાં જણાવ્યા પ્રમાણે ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અપરાકૃષ્ટ વિશેષ પ્રકારનો પુરુષ ક્લેશ એટલે જીવને (પુરૂષને) સંસારના વિવિધ દુ:ખો વડે જે પીડા કરે તે ક્લેશ કહેવાય છે. આ ક્લેશ પાંચ પ્રકારના છે – અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ સ્વરૂપ કર્મના આશયો એટલે કે સંસ્કારો ક્લેશનિમિત્તક છે. ક્લેશના કારણે થતા કર્મના સંસ્કારો આ જન્મ અને આવતા જન્મમાં ભોગવવા પડે છે. પાતંજલ દર્શનના મતે ઈશ્વરમાં અપ્રતિહત - સહજ એવું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચારેય તત્ત્વ અનાદિકાળથી છે. ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ પરાકાષ્ઠાનો છે. તે પરિણામ ઇન્દ્રિય દ્વારા આવેલ નથી. કારણ કે ઇન્દ્રિયને ઘણી બધી મર્યાદા છે. ઇન્દ્રિયોની મદદ વિના ઉત્પન્ન થતાં જ્ઞાનાદિ પરિણામો અપરિમિત છે. પરાકાષ્ઠાનાં છે. માટે સર્વજ્ઞતાની સિદ્ધિ તેમાં થાય છે. એવી જ રીતે યોગદર્શનમાં કહેલ છે કે ઈશ્વર ગુરુઓના પરમગુરુ ઈશ્વર છે. કારણ કે ઈશ્વર સર્વદા વિદ્યમાન હોવાથી કાલ દ્વારા તેની કોઈ સીમા જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ ૨૮૩
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy