________________
નક્કી થઈ નથી. સર્વશક્તિસંપન્ન ઈશ્વરની ઇચ્છાનુસાર આખું જગત કર્મ મુજબ પ્રવર્તે છે, પરિણમે છે.
પાતંજલ યોગમાં ઈશ્વર અને ઈશ્વરનો અનુગ્રહ છે એના વિશે ઉપાધ્યાય યશોવિજયજી સમાલોચના કરતાં કહે છે કે ઈશ્વરના અનુગ્રહથી જ યોગ ઉત્પન્ન થાય છે. આ પાતંજલની વાત બરાબર નથી કારણ કે જે જીવમાં યોગ્યતા ન હોય તેવા જીવમાં ઈશ્વર યોગને ઉત્પન્ન ન કરી શકે. જેમ જડ એવા અણુને ઈશ્વર ક્યારેય પણ જીવ બનાવી શકતો નથી. વસ્તુનો મૂળભૂત સ્વભાવ ક્યારેય બદલાતો નથી. તેથી જીવ યોગ્યતાથી નિરપેક્ષ એવા કેવળ ઈશ્વરના અનુગ્રહથી જ જીવોને યોગસિદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ પ્રાપ્ત થાય છે આ વાત બરાબર નથી. એવી જ રીતે જો ઈશ્વરમાં અનુગ્રહ કરવાનો સ્વભાવ એકસરખો હોય તો એકીસાથે બધા જીવોને યોગસિદ્ધિ, મુક્તિ મળી જાય. પણ એવું થતું નથી એટલે વ્યક્તિભેદ, આત્મભેદ ઈશ્વરમાં અનુગ્રહતા પણ વિભિન્ન પ્રકારની માનવી પડે. ઈશ્વરીય અનુગ્રહથી અમુક જીવને ફળ મળે છે, બીજાને બીજા પ્રકારનું ફળ મળે છે. આવી રીતે ઈશ્વરના અનુગ્રાહક સ્વભાવમાં વિવિધતા માનવી જરૂરી બને છે, જે પાતંજલ દર્શનને માન્ય નથી.
જૈનદર્શન અનુસાર સંસારમાં ભૂલા પડેલા અને ભટકતા નિરાધાર જીવો ઈશ્વરની આજ્ઞા - માર્ગદર્શન અનુસાર સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે તો આ ભવ અટવીથી પાર પામે છે એને ઈશ્વરનો અનુગ્રહ માને છે. ઈશ્વર એટલે કે અરિહંત જીવોને મોક્ષમાર્ગ દેખાડે છે. આરાધક જીવો પોતાની ઇચ્છાથી ઈશ્વરે બતાવેલ માર્ગ ઉપર ચાલી સંસારસાગર પાર પામી મોક્ષપ્રાપ્તિ કરે છે. ઈશ્વરના ગુણોનું સ્મરણ કરવાથી સાધક યોગમાર્ગમાં આગળ વધી પોતે ઈશ્વર બની શકે છે. આ રીતનો અનુગ્રહ જૈનદર્શનને માન્ય છે પણ ઈશ્વર પોતે જ જીવોને સ્વર્ગે મોકલે છે. આ વાત માન્ય નથી.
જૈનદર્શન પ્રમાણે આ સૃષ્ટિ અનાદિ-અનંત છે. અર્થાત્ આ સૃષ્ટિની ઉત્પત્તિ કે લયનો કોઈ અવકાશ નથી. અને કર્તા-સંહર્તા રૂપે ઈશ્વર જેવી કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં નથી. પ્રત્યેક જીવ એના વર્તમાન પર્યાયનો પોતે જ કર્તા છે. અને પ્રત્યેક જીવમાં પરમાત્મતત્ત્વ રહેલું છે. પોતે પુરુષાર્થ કરી વર્તમાન બદ્ધ પર્યાયથી મુક્ત બની શકે છે અને પોતામાં રહેલા પરમાત્મતત્ત્વને સંપૂર્ણ પ્રગટ કરી પરમાત્મા
૨૮૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )