SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત ક૨વી. જેમાં ૫૨મસુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો ને દુ:ખનો ક્ષય છે.’ આવા અનંત શોક અને અનંત દુ:ખની નિવૃત્તિ માટે સાંસારિક વિષયોમાંથી રુચિ ઓછી કરવી જરૂરી છે. એના માટે વૈરાગ્ય જળની આવશ્યકતા છે જે ૧૨ ભાવનાઓના માધ્યમે જૈન દર્શનમાં સમજાવી છે. શ્રીમદ્ રાજચન્દ્રે ‘ભાવનાબોધ’ પુસ્તકમાં આના વિશે વિસ્તૃત સમજણ આપી છે. સંક્ષેપમાં આ બાર ભાવનાઓ નીચે પ્રમાણે સમજાવી છે. (૧) અનિત્ય ભાવના – શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. એમ ચિંતવવું. - (૨) અશરણ ભાવના – સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભધર્મનું જ શરણ સત્ય છે. એમ ચિંતવવું. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું એમ ચિંતવવું. (૪) એકત્વભાવના - આ મારો આત્મા એકલો છે. તે એકલો આવ્યો છે. એકલો જશે. પોતાના કરેલાં કર્મ એકલો ભોગવશે. એમ ચિંતવવું. (૫) અન્યત્વ ભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું. (૬) અશુચિ ભાવના - આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે. રોગજરાને રહેવાનું ધામ છે. એ શરીરથી હું ન્યારો છું. એમ ચિંતવવું. (૭) આસ્રવ ભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આસ્રવ છે. એમ ચિંતવવું. (૩) સંસાર ભાવના - (૮) સંવર ભાવના - જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં. એવી ચિંતવના કરવી. (૯) નિર્જરા ભાવના - જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના - લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું. ૨૫૪ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy