________________
પર જ હોય તેમ જ્ઞાનીનું મન સાંસારિક કાર્ય કરવા છતાં સદા ભૃતધ્યાનમાં અને તેના જ સૂક્ષ્મ ચિંતનમાં લીન હોય છે. જેનાથી તે સાંસારિક પ્રવૃત્તિ પણ કર્મબંધ કે ભવભ્રમણનું નિમિત્ત બનતી નથી. આટલા બધા નિર્લેપ દશાવાળા આ દૃષ્ટિના યોગીઓ હોય છે. તીર્થકરના આત્મા આ ગૃહસ્થપણામાં કર્મના ઉદયે સંસારમાં રહી ભોગોને ભોગવવા છતાં તેના જ્વલંત વૈરાગ્યભાવનાને લીધે તે પ્રવૃત્તિ તેમને કર્મબંધ કે ભવભ્રમણા કરાવતી નથી.
આ દૃષ્ટિમાં વિકાસ પામતો જીવ ૪ થી ૭મા ગુણસ્થાનકોમાં આગળ વિકાસ સાધે છે. આ દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ નષ્ટ થાય છે, અપ્રશસ્ત કષાય નાબૂદ થાય છે; પણ હજી પ્રશસ્ત કષાયો છે, તેથી રોગ દોષ છે. એ દોષ નષ્ટ થાય એટલે સાતમી પ્રભાષ્ટિ પ્રાપ્ત થાય છે.
૭. પ્રભા દષ્ટિ : ध्यानप्रिया प्रभा प्रायो, नास्यां रुगत एव हि । तत्त्वप्रतिपत्तियुता, सत्प्रवृत्तिपदावहा ।।१७०।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : પ્રભાષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, એથી એમાં રોગ નામનો દોષ હોતો નથી. આ દૃષ્ટિ તત્ત્વમતિપત્તિયુક્ત અર્થાત્ આત્માનુભવયુક્ત હોય છે, અને સત્પ્રવૃત્તિપદને આણનારી હોય છે.
આ જ પ્રભા દૃષ્ટિને ઉપાધ્યાય યશોવિજયજી આઠ દૃષ્ટિની સઝાયમાં વર્ણવતાં કહે છે -
અર્કપ્રભાસમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી, તત્ત્વતણી પ્રતિપત્તિ ઈહાં વળી, રોગ નહી સુખપુઠ્ઠી રે
ભાવિકા ! વીર વચન ચિત્ત ધરીએ ૭.૧ાા પ્રભાષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો બોધ હોય છે. યોગનું ધ્યાન આ સાતમું યોગાંગ પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવથી રોગ દોષ અર્થાત્ વિકલ્પો રહેતા નથી. હંમેશાં શુભધ્યાન હોય છે. તેથી તત્ત્વમતિપત્તિ અર્થાત્ તત્ત્વરમણતા ગુણની પ્રાપ્તિ થાય છે અને આ દૃષ્ટિ સત્યવૃત્તિ પદને આપનારી હોય છે.
( ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૩૫