________________
છે. શુક્લધ્યાન કોને કહેવાય છે? તો - निष्क्रिय करणातीतं ध्यानधारणवर्जितम् । अन्तर्मुखं च यच्चित्तं तच्छुक्लमिति पठ्यते ।।४२.४।।
અર્થ : જે નિષ્ક્રિય અર્થાત્ ક્રિયારહિત છે, ઇન્દ્રિયાતીત છે અને ધ્યાનની ધારણાથી રહિત છે અર્થાત્ હું આનું ધ્યાન કરું આ ઇચ્છાથી રહિત છે અને જેમાં ચિત્ત પોતાના સ્વરૂપમાં લીન છે એને શુધ્યાન કહેવાય છે. જીવના કષાયરૂપી જે મલ છે એનો ક્ષય અથવા ઉપશમ થવાથી આત્માના પરિણામ નિર્મલ થાય છે ત્યારે આ શુક્લધ્યાન થાય છે. શુક્લધ્યાન ધારણ કરવાવાળો યોગી પ્રથમ વજઋષભનારાચ સંહનનવાળા હોય છે. અગિયાર અંગ ચોદ પૂર્વનો જાણકાર હોય છે અને શુદ્ધ ચારિત્રી હોય છે.
શુક્લધ્યાનના ચાર ભેદ કહ્યા છે.
(૧) પૃથકત્વ વિતર્ક વિચાર ઃ આ ધ્યાન મન, વચન અને કાયા આ ત્રણે યોગોવાળા મુનિઓને હોય છે. જે ધ્યાનમાં પૃથક પૃથક રૂપથી વિતર્ક અર્થાત્ શ્રુતનો વિચાર અર્થાત્ સંક્રમણ થાય છે એ ધ્યાનને પૃથકત્વ વિતર્ક સવિચાર ધ્યાન કહે છે. પૂર્વધર વિશિષ્ટ જ્ઞાની મુનિ પૂર્વકૃત – વિશિષ્ટ જ્ઞાનના અનુસાર કોઈ એક દ્રવ્યનું આલંબન લઈને ધ્યાન કરે છે પરંતુ કોઈ એક પર્યાય પર એ ધ્યાન સ્થિર થતું નથી. પરંતુ એના વિવિધ પરિણામો પર સંક્રમણ કરતું રહે છે. એની ચિંતનની ધારા શબ્દ થી અર્થ પર, અર્થથી શબ્દ પર અને મન, વાણી અને શરીર (દેહ)માં એકબીજાના પ્રવૃત્તિ પર સંક્રમણ કરે છે. અર્થાત્ પૂર્વધર મહાત્મા પૂર્વગત્ શ્રુતના આધારે, આત્મા કે પુગલ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, મૂર્તત્વ-અમૂર્તત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું આલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમ જ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું અવલંબન લે છે અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગનું કે વચનયોગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, શબ્દ અને યોગોનું પરિવર્તન થાય છે. (૨) એકત્વ વિતર્ક અવિચાર : એકત્વ એટલે અભેદ. અવિચાર એટલે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
૨૧૨