________________
ધારણા છે. મોર કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે છે. આ તેની ધારણાની દઢતા છે.
ધ્યાન : કોઈ શુભ વિષયમાં એકાગ્રતા એ ધ્યાન છે. આસપાસની પરિસ્થિતિથી અળગો રહીને મોર પોતાની મસ્તીમાં જ મગ્ન રહે છે. વિકલ્પોમાં અટવાયા વિના એ પોતાની જાતને જાગ્રત રાખે છે.
સમાધિ : આત્મજ્ઞાની આત્મા સાથે તન્મય થઈ એકીકરણ પ્રાપ્ત કરે તે સમાધિ છે. યોગીજનોનાં લક્ષણોથી યુક્ત મોર સમાધિમાં રહેવા પ્રયત્ન કરે છે.
આમ મોર પક્ષીના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ અષ્ટાંગ યોગની સાધના કરી આત્માનો અનુભવ કરી આત્માને પરમાત્મસ્વરૂપ બનાવવા સાધના કરીએ એવો સંદેશ આમાંથી મળે છે.
૩૭મું પદ “તા ગોચિત્ત ચા માં આનંદઘનજી યોગમાર્ગમોક્ષમાર્ગ બતાવે છે. યોગ એટલે આત્માને વિશુદ્ધિના માર્ગે લઈ જાય, જેના વડે ચેતનાનું એટલે કે આત્માનું શુદ્ધ આત્મા-પરમાત્મા સાથે જોડાણ થાય. આ પદમાં એ કહે છે –
ता जोगे चित्त ल्याओ रे, वहाला ता जोगे, समकित दोरी शील लंगोटी, धुल धुल गांठ धुलाऊं તત્ત્વ પુણા તીપળ નોર્ક, ચેતન રતન IIઉં રે.. વાિ II ? / अष्ट गुरुका वंडेली धूनी, ध्याना अगन जलाउं, उपशम छनने भस्म छणाउं, मली मली अंग लगाउं रे... वहाला ।। २ ।। आदि गुरुका चेला होकर, मोहवे कान पराउं, ધર્મ રૂારું તોય મુદ્દા સોહે, પાના નગારું રે... વહાણ II રૂ II
આ પદમાં જે યોગ આત્માને વિશુદ્ધિના માર્ગે લઈ જાય તેવા યોગની વાત કરી છે. આનંદઘનજી કહે છે કે જ્યારે સાધક યોગમાર્ગ ગ્રહણ કરે છે ત્યારે એને સમક્તિરૂપી દોરી અને શીલરૂપી લંગોટી ગ્રહણ કરવી પડશે. શીલની લંગોટી એ પંચમહાવ્રતયુક્ત દસ પ્રકારના યતિ ધર્મથી સુરક્ષિત, શકાયરક્ષ સહિતની પંચાચાર પાલના અને બાર ભાવનાથી ભાવિત રત્નત્રયીની
૨૨૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS