________________
समाधिनिष्ठा तु परा. तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च, तदुत्तीर्णाशयेति च ।।१७८ ।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : આ આઠમી ‘પરી’ દૃષ્ટિ સમાધિયુક્ત હોય છે અને આસંગ દોષ રહિત હોય છે. સહજભાવે આત્મસાત્ કરાયેલી પ્રવૃત્તિયુક્ત અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે.
અર્થાત્ આ દૃષ્ટિમાં પ્રવૃત્તિ નામનો ગુણ પ્રગટે છે પરંતુ પ્રવૃત્તિના આશયથી રહિત હોય છે. કારણ કે પરાષ્ટિવાળા યોગીઓનું મન નિર્વિકલ્પ હોય છે એટલે તત્ત્વપ્રવૃત્તિ સહજતઃ ચાલુ રહેવા છતાં પ્રવૃત્તિ કરવાનો આશયસંકલ્પવિકલ્પ અહીં હોતા નથી.
આ દૃષ્ટિમાં અષ્ટાંગયોગનું છેલ્લું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિ એટલે ધ્યાનની વિશેષ અવસ્થા. સવિકલ્પ સમાધિ એ ધ્યાન કહેવાય. નિર્વિકલ્પ સમાધિને જ સમાધિ કહેવાય. ચિત્તનો એકસરખો નિશ્ચિત ઉપયોગ હોય છે. પતંજલ ઋષિ યોગસૂત્રમાં ધારણા, ધ્યાન અને સમાધિના સ્વરૂપને વર્ણવતાં કહે છે –
‘ચિત્તનો દેશબન્ધ’ એટલે ચિત્તને એક વિષયમાં, ધ્યેયના સ્થાનમાં સ્થિત થવું એ ધારણા. તે ધારણાના વિષયમાં ચિત્તની એકાગ્રતા થવી એ ધ્યાન અને ધ્યાન પોતાના સ્વરૂપથી રહિત બની ધ્યેય માત્રને જ એમાં નિર્ભાસ થાય અર્થાત્ ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની જાય તે સમાધિ કહેવાય. યોગસૂત્રમાં પતંજલિ ઋષિ સમાધિની વ્યાખ્યા કરતાં કહે છે -
તવેવાઈમાત્રનિર્માસ્વરુપશૂન્યમવસમાં રૂ.રૂ. યોગસૂત્ર
અર્થ : તે (ધ્યાન) જ જ્યારે ધ્યેયમાત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય ત્યારે સમાધિ કહેવાય છે.
આ દૃષ્ટિમાં જે સમાધિ છે એ તાત્વિક છે. પરાકાષ્ઠાની છે. સંપૂર્ણ સ્વરૂપમાં જ રમણતા છે છતાં આ સમાધિ મેળવવાની ઉત્સુકતા કે અધીરાઈ હોતી નથી. તેવી જ રીતે પ્રાપ્ત થતી જતી સમાધિથી તે સમાધિની આસક્તિ કે રાગાદિભાવ હોતા નથી. “આસંગ દોષ રહિત આ સમાધિ હોય છે. ચંદનગંધન્યાયથી પ્રવૃત્તિ
૧૩૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની