________________
કરી લોકના અગ્રભાગમાં રહેલ સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે.
सादिकमनतमनुपममव्याबाधं स्वभावजं सौख्यं । પ્રાપ્ત: સ વેવજ્ઞાનનો મોતે મુવત: Tદ્દશા યોગશાસ્ત્ર
આવી રીતે કેવળજ્ઞાન અને કેવળદર્શનવાન યોગી સર્વ કર્મોથી મુક્ત થઈ સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ અને આત્મસ્વભાવથી પેદા થયેલ આત્મિક સુખને પામી પરમાનંદમાં મગ્ન રહે છે.
બારમો પ્રકાશ યોગશાસ્ત્રના ૧ થી ૧૧ પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે આગમ આદિ શ્રુતજ્ઞાનથી તથા ગુરુમુખેથી પ્રાપ્ત થયેલું યોગ સંબંધી જ્ઞાન વિસ્તારથી વર્ણવ્યું છે. હવે ૧રમા પ્રકાશમાં સ્વ-સંવેદનથી પોતાને અનુભવથી સિદ્ધ થયેલું યોગવિષયક નિર્મળ તત્ત્વનું વર્ણન કરે છે.
અહીં આચાર્ય કહે છે કે ચિત્ત ચાર પ્રકારવાળું છે. વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન, વિક્ષિપ્ત મન એટલે ચપળતાવાળું મન. સાધક જ્યારે પ્રથમ અભ્યાસ શરૂ કરે ત્યારે મનમાં અનેક જાતના વિક્ષેપો આવ્યા કરે. મન ક્યાંય સ્થિર રહે નહીં. મનની બીજી દશા યાતાયાત છે. યાતાયાત એટલે જવું અને આવવું. થોડી વાર મન સ્થિર રહે પાછા વિકલ્પ આવે. પહેલી કરતાં બીજી દશા શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદનો અંશ રહેલો છે. જેટલી વાર મન સ્થિર હોય તેટલી વાર આનંદ અનુભવે છે. શ્લિષ્ટ એ મનની ત્રીજી અવસ્થા છે, જે સ્થિરતા અને આનંદવાળી છે. અને સુલીન એ ચોથી અવસ્થા છે. અહીં મન નિશ્ચલ હોય છે અને પરમ આનંદ અનુભવે છે. જેટલી મનની સ્થિરતા વધુ તેટલો આનંદ વિશેષ હોય છે. એ પ્રમાણે અનુક્રમે બીજી, ત્રીજી અને ચોથી અવસ્થામાં મનની સ્થિરતા વધતી જતાં આનંદ પણ વધતો જાય છે. આવી રીતે સાધક અભ્યાસ કરતા કરતા મનના વિક્ષિપ્ત દશાથી સુલીન દશા સુધી પહોંચી શકે છે. અને નિરાલંબન ધ્યાન કરી સમરસભાવ પ્રાપ્ત કરી પરમાનંદની પ્રાપ્તિ કરે છે.
આત્મસુખ પ્રાપ્ત કરવાના અભિલાષી સાધકને અંતરાત્મા વડે બહિરાત્મભાવનો ત્યાગ કરી નિરંતર પરમાત્માનું ચિંતન કરવાનું કહ્યું છે. એના
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૮૫