________________
7. પ્રીતિ - ભક્તિ - વઘોડસીનુષ્ઠાન ચતુર્વિધમ્ ।।૨૮.૮।। દ્વા. દ્વા. દ્વીક્ષા દ્વાત્રિંશિકા ઉપાધ્યાય યશોવિજયજી.
અર્થ : પ્રીતિ - ભક્તિ - વચન અને અસંગ આ ચાર પ્રકારે અનુષ્ઠાન છે.
8. અનાલંબન યોગ : જ્યાં શાસ્ત્રવચનોના અતિશય અભ્યાસથી આત્મામાં એવું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટ્યું હોય કે કોઈ આલંબનની (શાસ્ત્રાલંબનની પણ) જરૂર રહે નહીં તેવી દશા.
-
9. શૈલેશીકરણ (શૈલેશી અવસ્થા) – મેરુપર્વત જેવી સ્થિર અવસ્થા. અયોગી ગુણસ્થાનક શૈલેશી અવસ્થામાં મન, વચન, કાયાના યોગોનો નિરોધ થયેલો હોય છે. ત્રણેય યોગનો બિલકુલ વ્યાપાર હોતો નથી. તેરમા ગુણસ્થાનના અંતે મન, વચન અને કાયાના યોગોનો નિરોધ કરાય છે તેથી ચૌદમે ગુણસ્થાનકે આવેલો જીવ અયોગી કહેવાય છે.
10. માણસનું મૃત્યુ થાય એ દ્રવ્યનિર્વાણ કહેવાય છે અને આત્માનો મોક્ષ થવો એ ભાવનિર્વાણ છે.
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૪૭