________________
યોગ છે એ ત્રણે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે અવશ્ય યોગનું ફળ કેવળજ્ઞાન - મોક્ષપ્રાપ્તિ થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ પ્રથમ જ સૂત્રમાં કહ્યું છે -
સીન્ડર્શન - જ્ઞાન - ચારિત્રા િમોક્ષમા: ૨.૨ાા તત્વાર્થસૂત્ર આ રીતે આ યોગબીજ પરંપરાએ મોક્ષનું કારણ છે. આચાર્ય હરિભદ્રસૂરિ નીચે પ્રમાણે યોગબીજ બતાવે છે - जिनेषु कुशलं चितं, तन्नमस्कार एव च પ્રમાદ્રિ ર સંદ્ધ, યોવાળીનમનુત્તમમ્ શારરૂપ યોગદષ્ટિસમુચ્ચય
જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશળ એટલે કે શુભ ભાવવાળું ચિત્ત, સ્તુતિ બોલવા દ્વારા તેમને કરાતો નમસ્કાર અને પાંચ અંગ નમાવવાપૂર્વક કરાતું પ્રણામ – આ ત્રણે સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ યોગબીજ છે.
આ મન-વચન-કાયાની કુશળ પ્રવૃત્તિને જો તે સંશુદ્ધ હોય તો યોગબીજ કહેવાય છે.
સર્વ રાગ-દ્વેષનો ત્યાગ કરી જે સંપૂર્ણ વીતરાગી બન્યા છે, પૂર્ણપણે સર્વજ્ઞ બન્યા છે, એવા જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભભાવવાળું ચિત્તનું કુશળપણું થવું એ પ્રથમ યોગબીજ છે. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે દ્વેષાદિનો (અરૂચિ ભાવ) અભાવ થવાથી ચિત્ત પ્રીતિભાવ, ભક્તિભાવ - પૂજ્યભાવવાળું બને તે મનની શુદ્ધિરૂપ છે.
હૃદયમાં પૂજ્યભાવ, ભક્તિભાવ આવવાથી એ ભક્તિભાવથી ભરપૂર મનમાંથી નીકળતી જિનેશ્વર ભગવંતની સ્તુતિ, પ્રાર્થનારૂપ નમસ્કાર એ બીજું યોગબીજ છે. શુભ ભાવનાયુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ વચનયોગ છે, વચનની શુદ્ધિરૂપ છે.
પંચાંગ પ્રણિપાતરૂપ પ્રણામ કરવા અને તે પ્રણામ સંશુદ્ધ - સમ્ય પ્રકારે કરવા એ ત્રીજું યોગબીજ છે. જે કાયાની શુદ્ધિરૂપ છે.
આવી રીતે મન-વચન-કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનેશ્વરની ઉપાસના એ ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ યોગબીજ છે.
આ યોગબીજ અનુત્તમ છે. આત્માને મોક્ષ સાથે જોડી આપે એવાં શ્રેષ્ઠ
૧૧૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )