________________
ત્યાજ્ય છે એવું વેદન પહેલી ચાર દૃષ્ટિમાં નથી. માટે અવેદ્યસંવેદ્યપદ છે. તે હેયમાં ઉપાદેયબુદ્ધિ કરાવે છે. તેમનું હેય રૂપે વેદન થાય, ઉપાદેયનું ઉપાદેય રૂપે વેદના થાય તે વેદ્યસંવેદ્યપદ છે.
આ જ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ વેદ્યસંવેદ્યપદનો અર્થ જણાવે છે - वेद्य संवेद्यते यस्मि - नपायाजिनिबन्धम् । तथाऽप्रवृत्तिबुद्धयाऽपि, त्याद्यागमविशुद्धया ।। ७३ ।।
યોગદષ્ટિસમુચ્ચય આ આઠ દૃષ્ટિમાં જીવનો બોધ ક્રમસર વધતો જાય છે. ખેદ આદિ દોષો એક પછી એક નષ્ટ થતા જાય છે, સાથે સાથે અદ્વેષ આદિ ગુણોની ક્રમસર પ્રાપ્તિ થતી જાય છે અને અષ્ટાંગયોગના એક પછી એક અંગને જીવ ક્રમસર સેવતો જાય છે.
| દૃષ્ટિ બોધ | દોષ-ત્યાગ ગુણપ્રાપ્તિ | યોગગ |
| મિત્રા | તૃણાગ્નિ કણ | ખેદ | અદ્વેષ યમ ૨ | તારા | ગોયમ અગ્નિકણ ઉગ | જિજ્ઞાસા | નિયમ ૩ | બલા | કાષ્ઠ અગ્નિકણ | ક્ષેપ | શુશ્રુષા | આસન ૪ | દીપ્રા | દીપક પ્રભા | ઉત્થાન | શ્રવણ પ્રાણાયામ | ૫ | સ્થિરા | રત્ન પ્રભા | ભ્રાન્તિ | સૂક્ષ્મ બોધ પ્રત્યાહાર | ૬ | કાંતા | તારા પ્રભા | અન્યમુદ્ | મીમાંસા | ધારણા | ૭ | પ્રભા | સૂર્ય પ્રભા | રોગ | પ્રતિપત્તિ | ધ્યાન | ૮ | પરા | | ચંદ્ર પ્રભા | આસંગ | પ્રવૃત્તિ |
પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતી એટલે કે દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ચાલી પણ જાય એવા વિકલ્પવાળી છે. જ્યારે શેષ ચાર સ્થિરાદિ દષ્ટિ પ્રતિપાતયુક્ત નથી, અપ્રતિપાતી છે.
પ્રભા
સમાધિ
૧૧૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની