________________
શ્રેષ્ઠ ગુરુભક્તિથી ધર્મના સંસ્કારો સાનુબંધ બને છે. ગુરુભક્તિના પ્રભાવથી તત્ત્વશ્રવણ થતા જીવને મોક્ષના અવંધ્યકારણરૂપ (અમોઘ, અસાધારણ) એવો તીર્થંકરનો યોગ સમાપત્તિ (આદિ) ભેદથી થાય છે. પારમર્થિક તત્ત્વ બતાવના૨ એવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું સમાપત્તિ આદિ ભેદથી દર્શન થાય છે.
સમાપત્તિ એટલે વીતરાગ પરમાત્માનું એકાગ્રપણે ધ્યાન કરતા જીવને તેમના ગુણોનો અભેદ રૂપે અનુભવ થાય. સમાપત્તિમાં તીર્થંકરના ગુણોનું ધ્યાન દ્વારા સ્પર્શાત્મક દર્શન થાય છે.
આ સૃષ્ટિમાં હજુ વેદ્યસંવેદ્યપદ ન હોવાથી સૂક્ષ્મ બોધ હોતો નથી, સ્થૂલ બોધ હોય છે. ભવસમુદ્રથી જે તારે, કર્મરૂપી વજને જે ભેદે અને યથાર્થ રીતે જે તત્ત્વનિર્ણય કરાય તે સૂક્ષ્મ બોધ છે. મિત્રા, તારા અને બલા. આ પ્રથમ ત્રણ
દૃષ્ટિમાં અવેદ્ય-સંવેદ્ય પદ પ્રબળ હોય છે. ગ્રંથિભેદ થયેલો ન હોવાથી મોહનો ઉદય પ્રબળ હોય છે. અવેદ્યસંવેદ્ય પદ હોય છે. વેદ્યસંવેદ્યપદથી વિપરીત તે અવેદ્યસંવેદ્યપદ. આ અવેદ્યસંવેદ્યપદમાં જેના કારણે આ દૃષ્ટિનો બોધ મલિન થયેલો છે. આ મલિનબોધ સૂક્ષ્મ બોધને પેદા થવામાં પ્રતિબંધક બને છે.
આવું અનેદ્યસંવેદ્યપદ જીવ જ્યારે ચોથી દીપ્રાદષ્ટિમાં આવે ત્યારે જીતી શકે છે. પ્રથમ ત્રણ દૃષ્ટિમાં અવેઘસંવેદ્યપદ જીતી શકાતું નથી. મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય વિશિષ્ટ શુદ્ધભાવ પ્રથમ ત્રણ દૃષ્ટિમાં આવતો નથી. પણ જીવ આ ત્રણ દૃષ્ટિમાં ક્રમશઃ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ મિથ્યાત્વ મંદ થતું જાય છે. પૌદ્ગલિક સુખ તુચ્છ છે, વિપાક આપનારું છે અને આત્મિક સુખ જ વાસ્તવિક સુખ છે તે સમજાતું જાય છે. આ રીતે શુદ્ધ ભાવ તરફ વિકાસ કરતો ક્રમશઃ યોગની દૃષ્ટિમાં આગળ વધતો જીવ જ્યારે ચોથી દીપ્રાદષ્ટિમાં આવે છે ત્યારે મિથ્યાત્વ એટલું બધું મંદ પડી જાય છે કે તેને અવેદ્યસંવેદ્યપદ જીતવું સહેલું થાય છે. આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે આ મિથ્યાત્વ સત્સંગ અને આગમના યોગથી દૂર થાય છે.
૧૨૮
अवेद्यसंवेद्यपद्मान्ध्यं दुर्गतिपातकृत् ।
સત્સંગમયોન, તૈયમેતત્ત્વજ્ઞાત્મમિ: ।।૮।। યોગદૃષ્ટિસમુચ્ચય યોગમાર્ગ એ જ આત્માનો કલ્યાણ કરનાર છે તેથી યોગની વિચારણામાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની