________________
અને તે વિઘ્નનો જય કરવાથી વ્યક્તિ માર્ગમાં સારી રીતે ગમન કરી શકે છે. તેમ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા સાધક માટે પણ શારીરિક રોગો આવે તો તે જ્વરચિહ્ન સમાન હોય છે. કારણ કે સાધકની વિશિષ્ટ ધર્મઆરાધનામાં એ પ્રતિબંધક બને છે. એટલે આ શારીરિક રોગનાં કારણોને જ અટકાવવાથી જેમ કે મિતાહાર, પરિમિત આહાર લેવાથી આ વિઘ્નનો જય કરી શકાય છે અને તોપણ જો કોઈ અસાધ્ય રોગ આવે તો આ રોગો મારા સ્વરૂપને બાધક નથી; માત્ર શરીરને જ બાધા પહોંચાડી શકે છે, આ રોગને સમભાવે સહન કરીશ તો મારા કર્મની નિર્જરા થશે. આવી રીતે ભાવનાથી આત્માને ભાવિત કરી ધર્મની સમ્યગૂ રીતે આરાધના કરે છે. આ મધ્યમ વિપ્નજય આશય છે.
(૩) ઉત્તમ વિનજય આશય માર્ગમાં ગમન કરવાવાળી વ્યક્તિને દિશાનો જો ભ્રમ થાય તો માર્ગના જાણકારો વડે પ્રેરણા કરવા છતાં પણ માર્ગમાં જવાનો ઉત્સાહ થતો નથી. જ્યારે આ વિઘ્ન દૂર થાય છે અર્થાત્ સાચી દિશાનો નિર્ણય થાય છે ત્યારે પોતાને જે દિશામાં જવું છે તે દિશામાં આગળ વધાય અને ઇષ્ટ સ્થાન સુધી પહોંચાય. તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત્વ થયેલ વ્યક્તિ માટે મિથ્યાત્વ જનિત મનોવિભ્રમ એ વિઘ્ન છે. મિથ્યાત્વ - અજ્ઞાન વગેરેના યોગથી એ સત્ય-ધર્મથી વિમુખ થયો છે. તે સગુરુના યોગથી સમ્યગુશાસ્ત્ર વિચારીને સત્યજ્ઞાન મેળવી મિથ્યાત્વરૂપ દિશાશ્રમને ટાળે છે. આ ત્રણેય વિધ્વજય ઉત્તરોત્તર ચઢિયાતા છે. અર્થાત્ પ્રથમ વિધ્વજય જઘન્ય કક્ષાનો છે. બીજો વિનજય મધ્યમ કક્ષાનો છે. જ્યારે તૃતીય વિધ્વજય ઉત્કૃષ્ટ છે. કારણ કે મિથ્યાત્વ દૂર થવાથી જ મોક્ષમાર્ગમાં ગમન કરી શકાય છે. આ ત્રણે વિધ્વજય શુભાશયરૂપ છે. અને આ ત્રણે સમુદિત થતાં મોક્ષમાર્ગમાં અવિરત પ્રવૃત્તિ કરાવે છે.
(૪) સિદ્ધિ આશય : सिद्धिस्तात्त्विकधर्माप्तिः साक्षादनुभवात्मिका : कृपोपकार विनयान्विता हीनादिषु क्रमात् ।।१०.१४ ।।
અર્થ : સાક્ષાત અનુભવાત્મક એવી તાત્ત્વિક ધર્મપ્રાપ્તિ એ સિદ્ધિ કહેવાય છે. હીન પ્રત્યે કૃપા, મધ્યમ પ્રત્યે સહાયકભાવ, ઉત્તમને વિશે વિનય – આ ત્રણ ગુણથી તે સિદ્ધિયુક્ત હોય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૮૧