________________
સ્થિરતા કરાવવી એ સિદ્ધિયોગ છે. આ કક્ષાએ પહોંચેલું સ્થાનાદિનું સેવન એ સિદ્ધિયોગ છે.
14 સ્થાનાદિ યોગના અભ્યાસના બળથી અહિંસાભાવ જેમને સિદ્ધ થાય છે તેવા તીર્થકર અથવા લબ્ધિવંત મુનિ પાસે હિંસક સ્વભાવવાળાં પ્રાણીઓ હિંસા કરતાં નથી, તેમની ક્રૂર ભાવના પણ નષ્ટ થાય છે. તેમજ સત્ય અને અચોર્ય ભાવ જેમણે સિદ્ધ કર્યો છે એવા યોગી પાસે કોઈ અસત્ય બોલી શકતું નથી અથવા ચોરી પણ કરી શકતું નથી. શુદ્ધ બ્રહ્મચર્ય જેણે સિદ્ધ કર્યું છે તેવા યોગી પાસે કોઈ અનીતિ આચરી શકતું નથી.
આગળ આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - આખો યોગમાર્ગ ક્ષયોપશમના ભેદથી અસંખ્ય ભેટવાળો છે તેની ઇચ્છાદિ રૂપે ચાર વિભાગો પડે છે. આ ઇચ્છા વગેરે ચારયોગો અનેક પ્રકારના છે અને દરેકના અસંખ્ય પેટાભેદો છે.
एएय चित्तरुवा, तहा खओवसमजोगओ हुँति । તસ્ય ૩ દ્વાયા - રૂ નો મāસત્તાપ પાછાયોગવિંશિકા
અર્થ : સ્થાનાદિ યોગના જ ઇચ્છાદિ યોગો અનેક પ્રકારના છે તેમજ તેઓ ક્ષયોપશમના યોગે પ્રાપ્ત થાય છે અને તે શ્રદ્ધા અને પ્રીતિ વગેરેના યોગથી ભવ્ય પ્રાણીઓને પ્રાપ્ત થાય છે.
શ્રદ્ધા એટલે તેની જ અર્થાત્ અધિકૃત સ્થાનાદિ યોગની જ શ્રદ્ધા અર્થાત્ આ પ્રમાણે જ છે એ પ્રમાણેનો સ્વીકાર એ શ્રદ્ધા છે.
પ્રીતિ : સ્થાનાદિ સેવવામાં હર્ષ અનુભવવો એ એની પ્રીતિ છે.
ધૃતિ સ્થાનાદિ યોગ ઘેર્યપૂર્વક ચાલુ રાખે જેથી તે યોગ ઉત્તરોત્તર સમ્યમ્ રીતે નિષ્પન્ન થતો જાય એ ધૃતિ છે.
ધારણા : પોતે જે યોગમાર્ગ સેવે છે તેના ઉત્તમ સંસ્કારોનો દૃઢ કરવા અર્થે ચિત્તની દઢ અવસ્થા એ ધારણા છે.
આ શ્રદ્ધાદિ (શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ અને ધારણા) યોગને કારણે મોક્ષગમનને યોગ્ય એવા અપુનબંધકાદિ જીવોને તેવા પ્રકારના ક્ષયોપશમનો યોગ થાય છે. શ્રદ્ધા, પ્રીતિ આદિ પણ ક્ષયોપશમ ભાવથી પેદા થનારા છે. ક્ષયોપશમના કારણે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની