________________
सालम्बनो निरालम्बनश्च योग: परो द्विधा ज्ञेय : । जिनरुपध्यानं खल्वाद्यस्तत्तत्वगस्त्वपरः ।।९।।
મુખ્ય યોગ સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારનો છે. પ્રથમ સાલંબન એટલે ચક્ષુ આદિના જ્ઞાનથી જાણી શકાય તેવી જિનેશ્વર – તીર્થકર કેવળીની પ્રતિમાનું આલંબન લઈને જિનરૂપનું ધ્યાન એ સાલંબન યોગ છે. અને તેવા પ્રકારના આલંબનનો ત્યાગ કરી માત્ર તત્ત્વસ્વરૂપ જિનેશ્વર પરમાત્માના કેવળજ્ઞાન આદિ આત્મિક ગુણો (તત્ત્વો) ને ચક્ષુષ ગોચર વધી તેવા વિષયમાં ધ્યાન કરવું તે નિરાલંબન યોગ કહ્યો છે. ‘યોગદૃષ્ટિ સમુચ્ચયમાં પમા શ્લોકમાં હરિભદ્રસૂરિએ ક્ષપકશ્રેણીના દ્વિતીય અપૂર્વકરણમાં થતા સામર્થ્યયોગને જ અનાલંબનયોગ તરીકે કહ્યો છે. જે ક્ષાયોપર્શામક ક્ષમા, આર્જવ, માર્દવ વગેરે ધર્મના સંન્યાસરૂપ છે.
शास्त्रसन्द र्शितोपायस्त दति क्रान्त गोचरः । शक्त्युद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ।।५।।
યોગદષ્ટિસમુચ્ચય એવી જ રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ પછી જે છેલ્લું રૂપાતીત અવસ્થાનું પ્રણિધાન કરવામાં આવે અર્થાત્ કર્મથી રહિત થયેલા સહજાનંદી સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરવામાં આવે તે ધ્યાન શુક્લધ્યાનના અંશરૂપ હોય છે અને તે નિરાલંબન યોગ છે. આ રૂપાતીત ધ્યાનનું વર્ણન યોગશાસ્ત્રમાં પૂ. હેમચંદ્રાચાર્યે નીચે પ્રમાણે કર્યું છે –
अमूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य ध्यानं स्याद्रूपवर्जितम् ।।१०.१।।
યોગશાસ્ત્ર આવી રીતે જિનેશ્વર પ્રભુની મૂર્તિ - પ્રાતિહાર્યો વગેરરૂપી દ્રવ્યવિષયક ધ્યાન એ સાલંબન યોગ છે અને સિદ્ધાત્માનું કેવલજ્ઞાનાદિમય અરૂપી પદાર્થવિષયક ધ્યાન એ, નિરાલંબનયોગ છે. આ નિરા અને સાલંબન ધ્યાનનું સ્વરૂપ જણાવી આચાર્ય હરિભદ્રસૂરિ “યોગવિંશિકા” ગ્રંથમાં નિરાલંબન ધ્યાનનું ફળ સમજાવી આ ગ્રંથની સમાપ્તિ કરતાં કહે છે –
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની