________________
આધ્યાત્મિક વિકાસ. આજ સુધી જીવનદષ્ટિ સાંસારિક સુખો તરફ પુશલગમ્ય સુખ તરફ અર્થાત્ ભોગસુખ તરફ હતી. જે ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિ પ્રાય: સર્વ જીવોમાં તરતમભાવે હોય છે. આ દષ્ટિ કદાચ જીવને અલ્પ પીગલિક સુખ આપે પણ અંતે તો દુ:ખમાં જ પરિણમે. જ્યારે દેવજીવને સંસાર અને એના વિષયો અને પુદગલજન્ય સુખ અસાર લાગવા લાગ્યાં છે અને મન મુક્તિ તરફ વળવા લાગ્યું છે ત્યારે જીવને યોગ દૃષ્ટિઅર્થાત્ મુક્તિ સાથે સંબંધ કરાવે તેવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિ પુદ્ગલના સુખર્યા નિરપેક્ષ અને જીવનો આત્મિક વિકાસ કરનારો હોય છે. આત્માને ક્રમશ: મોક્ષ સાથે જોડનાર હોય છે. એટલે યોગદૃષ્ટિ કહેવાય છે. પુદ્ગલભાષાને તજી આત્મભાવનામાં લીન બનાવતી દૃષ્ટિ તે યોગદૃષ્ટિ, આ દૃષ્ટિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અને ક્ષયથી તથા મોહનીયકર્મના ક્ષયોપશમ-ઉપશમ અને ક્ષયથી પ્રાપ્ત થાય છે.
જેમ જે જીવનો સત્શ્રદ્ધાયુક્ત બોધ વધતો જાય છે, જીવનો આત્મિક વિકાસ થતો જાય છે, મુક્તિ તરફની ભાવના જેમ જેમ વધતી જાય છે તેમ આ દૃષ્ટિ તીવ્ર થતી જાય છે. જીવને પ્રાપ્ત થતા આત્મપ્રકાશની માત્રાની દૃષ્ટિએ એને આઠ ભાગમાં વહેંચી આઠ યોગદષ્ટિ તરીકે અહીં નિરૂપવામાં આવી છે. આ ગ્રંથમાં એ આઠ યોગદૃષ્ટિઓનું ક્રમશઃ વર્ણન કરવામાં આવ્યું છે. જીવનો ક્રમિક વિકાસ બતાવ્યો છે. પહેલી ચાર દૃષ્ટિ સુધી જીવ ક્રમે ક્રમે વિકાસ સાધતો જઈ પાંચમી દૃષ્ટિથી મોક્ષાભિમુખ દૃષ્ટિમાં પહોંચે છે. ઉત્તરોત્તર વધુ બોધ પ્રાપ્ત કરતા, વધુ વિકાસ સાધતો આઠમી દૃષ્ટિમાં સંપૂર્ણ વિકાસ સાધે છે. આ ગ્રંથ આ આઠ યોગદષ્ટિઓનો સંગ્રહ એટલે કે સમુચ્ચય હોવાથી આ ગ્રંથનું નામ ‘યોગદૃષ્ટિસમુચ્ચય” સાર્થક છે.
આ આઠ દૃષ્ટિઓનાં નામ અનુક્રમે - મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એવી રીતે છે. આ દૃષ્ટિઓમાં યોગમાર્ગનો બોધ સમાન નથી. આચાર્ય હરિભદ્રસૂરિએ મિત્રાદિ આઠ દૃષ્ટિના બોધને અનુક્રમે તૃણના અગ્નિકણના પ્રકાશ સમાન, ગોયમ (છાણા)ને અગ્નિનો પ્રકાશ, કાષ્ઠના અગ્નિકણના પ્રકાશ, દીપકની પ્રભા, રત્ન, તારા અને છેલ્લે ચંદ્રની પ્રભા સમાન વર્ણવ્યો છે. પ્રારંભમાં મિત્રાદૃષ્ટિમાં આ બોધ સૌથી અલ્પ એટલે કે અગ્નિના
‘યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૦૭